________________
૧૩ર |
શ્રી ભગવતી સત્ર-૪
चउरिदियाणं एएसिं जहाणेरइयाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોમાં સત્કાર, સન્માન, અનુગમન આદિ વિનય હોય છે? ઉત્તર- હા, ગૌતમ! હોય છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. જે રીતે નૈરયિકોને માટે કથન કર્યું, તે જ રીતે પૃથ્વીકાયિકથી લઈને ચૌરેન્દ્રિય જીવો સુધી કથન કરવું જોઈએ. |६ अत्थि णं भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं सक्कारे इ वा जावगच्छंतस्स पडिससाहणया? हंता अत्थि, णो चेव णं आसणाभिग्गहे इ वा, आसणाणुप्पदाणे इ वा । मणुस्साण जाववेमाणियाणं जहा असुरकुमाराण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં સત્કાર, સન્માન, અનુગમન આદિ વિનય હોય છે? ઉત્તર-હા, ગૌતમ! હોય છે, પરંતુ આસનાભિગ્રહ– આસન આપવું અને આસનાનુપ્રદાન– આસનને લઈને એક સ્થાનેથી અન્ય સ્થાને જવા રૂપ વિનય નથી.
જે રીતે અસુરકુમારોના વિષયમાં કહ્યું, તે જ રીતે મનુષ્યોથી વૈમાનિકો સુધીના દંડકોમાં કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવોમાં સત્કાર-સન્માનાદિ વિનય વ્યવહારનું નિરૂપણ કર્યું છે.
નૈરયિકો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવોમાં પરસ્પર સત્કાર, સન્માનાદિ વિનય-વ્યવહાર નથી. કારણ કે તે જીવોની પાસે તથા પ્રકારના સાધનો નથી તેમ જ નૈરયિકો સદૈવ દુઃખગ્રસ્ત છે, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોમાં તથા પ્રકારનો વિવેક નથી. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં આસનાભિગ્રહ તથા આસનાનપ્રદાન રૂપ વિનય વ્યવહારને છોડીને શેષ સર્વવિનય વ્યવહાર હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોને વ્યક્ત ભાષા, તથા પ્રકારના સાધનોનો અભાવ હોવાથી તે બંને પ્રકારના વિનયનો સંભવ નથી. ચારે જાતિના દેવો અને મનુષ્યોમાં સર્વ પ્રકારનો વિનય વ્યવહાર હોય છે. દેવોમાં પરસ્પર આદર સન્માન :
७ अप्पिड्डीएणं भंते ! देवे महिड्डीयस्स देवस्समज्झमज्झेणं वीइवएज्जा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલ્પ ઋદ્ધિવાળા દેવ, મહાઋદ્ધિવાળા દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શકય નથી.
८ समिड्डीए णं भंते ! देवेसमिड्डीयस्स देवस्समज्झमज्झेणं वीइवएज्जा? गोयमा! णो इणढे समढे, पमत्त पुण वीइवएज्जा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સમદ્ધિક-સમાન ઋદ્ધિવાળા દેવ, સમદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શકય નથી. જો તે સમદ્ધિક દેવ પ્રમત્ત-અસાવધાન હોય તો તેની મધ્યમાંથી જઈ શકે છે.