________________
આગમજ્ઞાન પ્રદાતા પૂજ્યવરોનો છે અનંત ઉપકાર, ભગવદ્ ભાવો પ્રગટાવવા જિનવાણીનો કરું છું સત્કાર.
વિશ્વમાં ગુરુ 'પ્રાણ'નો વર્તી રહ્યો છે સદા જય જયકાર સહભાગી બન્યા મુજ કાર્યમાં સહુનો કરું છું ૠણ સ્વીકાર.....
મારી અલ્પબુદ્ધિ સામર્થ્ય અને મંદ ક્ષયોપશમે શ્રી ભગવતી સૂત્રના ગંભીર ભાવોના રહસ્યોને હું સમજી ન શકી હોઉં અને શ્રુતલેખનમાં ભગવદ્વાણીની કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.....
અંતે......
ગણિપિટકનું ગૌરવ છે તું મા ભગવતી, સુધર્માનું સંકલન સૂત્ર છે તું મા ભગવતી, ગૌતમનો જિજ્ઞાસા સ્રોત છે તુ મા ભગવતી, ભવ્યજનોનો અંતસ્તોષ છે તું મા ભગવતી, અહર્નિશ વંદન હો તુજને મા ભગવતી, મુજ અંતઃસ્રોત પ્રવાહિત કરજે મા ભગવતી, મુજ સંયમ ધનનું રક્ષણ કરજે મા ભગવતી, મુજ ભગવદ્ ભાવોને પ્રગટાવજે તું મા ભગવતી.......
59
પૂ. મુક્ત–લીલમગુરુણીના સુશિષ્યા
સાધ્વી આરતી.