________________
શતક–૯ : ઉદ્દેશક-૧
OR 8038
શતક-૯ : ઉદ્દેશક-૧ જંબુદ્વીપ
ઉદ્દેશકોનાં નામ ઃ
जंबुद्दीवे जोइस, अंतरदीवा असोच्च गांगेय । कुंडग्गामे पुरिसे, णवमम्मि सयम्मि चोत्तीसा ॥
૨૦૯૩
RoR zÞ∞
ભાવાર્થ :- નવમા શતકમાં ૩૪ ઉદ્દેશક છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) જંબૂદ્વીપ (૨) જ્યોતિષ, (૩ થી ૩૦) અંતર્દીપ, (૩૧) અસોચ્ચા, (૩૨) ગાંગેય, (૩૩) કુંડગ્રામ, (૩૪) પુરુષ.
વિવેચન :
આધ અથવા મુખ્ય વિષયના આધારે પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ આ પ્રમાણે છે.
(૧) નંબુદ્દીને :– જંબુદ્રીપ સંબંધી અતિદેશાત્મક વર્ણન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘જંબુદ્રીપ’ છે. (૨) નોસ :– જ્યોતિષી દેવ સંબંધી વક્તવ્યતા હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘જ્યોતિષી’ છે. (૩ થી ૩૦) અંતરવીવા:– અંતરદ્વીપ વિષયક નિરૂપણ હોવાથી ત્રીજા થી ત્રીસમા એમ ૨૮ ઉદ્દેશકનું નામ ‘અંતર્રીપ’ છે.
(૩૧) સોજ્ન્મ :– અસોચ્ચા-સોચ્યા કેવળી સંબંધી વિસ્તૃત વર્ણન હોવાથી એકત્રીસમા ઉદ્દેશકનું નામ ‘અસોચ્ચા’ છે.
(૩૨) નનેય :- ગાંગેય અણગારના પ્રશ્નોત્તર હોવાથી બત્રીસમા ઉદ્દેશકનું નામ ‘ગાંગેય’ છે.
(૩૩) હમે :– કુંડગ્રામ નિવાસી પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા ઋષભદત્ત અને દેવાનંદાનો પ્રસંગ આલેખિત હોવાથી તેત્રીસમા ઉદ્દેશકનું નામ ‘કુંડગ્રામ’ છે.
(૩૪) પુષેિ :– પુરુષઘાતક પુરુષના વૈરસ્પર્શ વગેરે વિષયક વર્ણન હોવાથી ચોત્રીસમા ઉદ્દેશકનું નામ ‘પુરુષ’ છે.
જંબુદ્વીપનું સ્વરૂપ :
२ तेणं कालेणं तेणं समएणं मिहिला णामं णयरी होत्था, वण्णओ । माणिभद्दे चेइए, वण्णओ । सामी समोसढे, परिसा णिग्गया जाव भगवं गोयमे पज्जुवासमाणे एवं वयासी