SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ | શ્રી ભગવતી સત્ર-૨ એક મનુષ્ય-વરુણનાગનતુઆ દેવલોકમાં ગયો, તેનો મિત્ર મનુષ્યગતિમાં ગયો. શેષ મનુષ્યો પ્રાયઃ નરક અને તિર્યંચગતિને પામ્યા. તેમાંથી દશ હજાર જીવ તો એક સાથે એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા. લોકવાદ - વરુણનાગનતુઆએ યુદ્ધભૂમિમાં સંલેખના અને અંતિમ આરાધનાપૂર્વક કાલધર્મ પામીને દેવગતિને પ્રાપ્ત કરી. તેના મૃત્યુ સમયે ગગનમાં થયેલો દિવ્યધ્વનિનો નાદ સાંભળી લોકો પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે યુદ્ધમાં મૃત્યુ પ્રાપ્ત કરનારા જીવો દેવગતિને પ્રાપ્ત કરે છે. આ લોકવાદને સાંભળીને ગૌતમ સ્વામીએ પ્રભુને તવિષયક પ્રશ્ન પૂછ્યો. પ્રભુએ વરુણનાગનતુઆ અને તેના મિત્રના જીવન પ્રસંગનું કથન કરીને તે લોકવાદનું નિરાકરણ કર્યું. વરુણનાગનઆ:- તે વ્રતધારી શ્રાવક હતા. તે છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા કરી રહ્યા હતા. રાજાદિના આદેશથી તે યુદ્ધમાં ગયા. તેણે છઠ્ઠના બદલે અમ તપ કર્યો અને સામી વ્યક્તિ પ્રહાર કરે પછી જ બાણ ફેંકવું, તેવો અભિગ્રહ ધારણ કરીને સંગ્રામનો પ્રારંભ કર્યો. યુદ્ધમાં શત્રુપક્ષના યોદ્ધાના એક બાણથી તે ઘાયલ થયા ત્યારે સમરાંગણમાંથી બહાર નીકળ્યા અને પોતાનો મૃત્યુ સમય નિકટ જાણીને યાવજીવનનું અનશન અંગીકાર કર્યું. પૂર્વકૃત પાપની આલોચના, પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલધર્મ પામીને દેવગતિને પ્રાપ્ત કરી. ત્યાંની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરીને, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધ થશે. તેના મિત્ર પણ યુદ્ધમાં ઘાયલ થતાં એકાંતમાં ગયા અને સ્વયં વ્રત–નિયમને જાણતા ન હોવાથી સરળ અને શુદ્ધ ભાવે મારા મિત્રે જે વ્રત પ્રત્યાખ્યાન કર્યા તે સર્વ મને હોજો તેવી ભાવના પ્રગટ કરી. ભાવવિશુદ્ધિના પરિણામે તે પણ મનુષ્ય ગતિ પામી, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયા. તે પણ મનુષ્ય જન્મ પૂર્ણ કરીને, મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે. વરુણનાગનzઆના કાલધર્મ સમયે દેવોએ દિવ્યવૃષ્ટિ કરી અને દિવ્ય ધ્વનિ કર્યો. તેને જોઈને અનેક લોકોએ ધારણા કરી કે યુદ્ધમાં મૃત્યુ પામે તે દેવગતિને પ્રાપ્ત કરે છે. સૂત્રકારે તેનું ખંડન કરીને સ્પષ્ટતા કરી છે કે દેવગતિમાં ઉત્પત્તિનું કારણ યુદ્ધમાં થયેલું તેનું મૃત્યુ નથી. પરંતુ અંત સમયની આરાધના છે. આ મહાસંગ્રામમાં એક ક્રોડ એસી લાખનો જનસંહાર થયો. તેમાંથી એક વ્યક્તિને દેવગતિ અને એક વ્યક્તિને મનુષ્યગતિની પ્રાપ્તિ થઈ. શેષ સર્વ જીવોએ પ્રાયઃ નરક અને તિર્યંચરૂપ દુર્ગતિને પ્રાપ્ત કરી છે. તેથી લોક સંવાદ યથાર્થ નથી. આ રીતે આ ઉદ્દેશકમાં ઘોરસંગ્રામ અને તેના ઘોર પરિણામનું હૃદયદ્રાવક વર્ણન છે.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy