SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ઃ ઉદ્દેશક-૧ [ ૩૨૧] संजोयणादोसविप्पमुक्कं, असुरसुरं, अचव- चवं, अदुयं, अविलंबियं अपरिसाडिं, अक्खोवंजणवणाणुलेवणभूयं, संजमजाया- मायावत्तियं, संजमभारवहणट्ठयाए बिलमिव पण्णगभूएणं अप्पाणेणं आहारमाहारेइ; एस णं गोयमा ! सत्थातीयस्स, सत्थपरिणामियस्स जाव पाणभोयणस्स अयमढे पण्णत्ते । ॥ सेवं भंते ! सेवं भंते ॥ શબ્દાર્થ – સત્કાયન્સ = શસ્ત્રાતીત, અગ્નિ આદિ શસ્ત્ર પ્રયોગિત સત્યુ પરિણામ સ્ત્ર = શસ્ત્ર પરિણત, શસ્ત્રોથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને અન્ય રૂપમાં પરિણત કરેલો, અચેત કરેલો સિક્ષક એષણીય, ગવેષણા આદિથી ગવેષિત વસિયસ = વિશેષ ગવેષણા, ગ્રહણેષણા અને ગ્રામૈષણાથી વિશોધિત અથવા મુનિવેશની મર્યાદાથી પ્રાપ્ત સામુલાયન્સ = અનેક ઘરોથી પ્રાપ્ત કરેલો ગિરિરસલ્યમૂલને = શસ્ત્ર-મૂલાદિ પ્રયોગ રહિત નવથાણા વUવિનેવને = પુષ્પમાળા અને ચંદન આદિના વિલેપન રહિત જુ વરદં = સ્વતઃ કે પરતઃ અચેત થયેલો આહાર અસુરસુર = આહાર કરતી વખતે સુ સુ શબ્દ રહિત સર્વવવવ = ચપચપ શબ્દ રહિત ૬ચું = શીવ્રતા રહિત પરિસા૬િ = છોડ્યા વિના, ઢોળ્યા વિના અવનવાપુનેવળભૂકં= ગાડીની ધરીના લેપ અને વ્રણ પરના લેપની જેમ સંગમન-માયાવત્તિય = સંયમયાત્રાનો નિર્વાહ કરવા મર્યાદિત આહાર કરનાર, આહારની માત્રાને જાણનાર વિવિઘામૂi = જે રીતે બિલમાં સર્પ સીધો થઈને જાય છે, તે રીતે સ્વાદ લીધા વિના ગળે ઉતારવું. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શસ્ત્રાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, વેષિત, સામુદાનિક ભિક્ષારૂપ આહાર પાણીનો શું અર્થ છે? ઉત્તર- હે ગૌતમ ! જે નિગ્રંથ અથવા નિર્ચથી મૂસલાદિ શસ્ત્ર પ્રયોગ રહિત, પુષ્પમાળા અને ચંદનાદિ વિલેપન રહિત છે; તે ભોજ્ય વસ્તુમાં ઉત્પન્ન થનારા ઈયળ, ધનેડા આદિ જંતુઓથી રહિત, સ્વતઃ કે પરતઃ અચિત્ત થયેલો, સાધુને માટે નહીં કરેલો, નહીં કરાવેલો, અસંકલ્પિત, આધાકર્માદિ દોષ રહિત, આમંત્રણ રહિત, નહીં ખરીદેલો, ઔદેશિકાદિ દોષ રહિત, નવકોટિ વિશુદ્ધ, દશ દોષ રહિત, ૧૬ ઉદ્દગમના, ૧૬ ઉત્પાદનના અને ૧૦ એષણાના દોષ રહિત-સુપરિશુદ્ધ આહારને અંગારદોષ રહિત, ધૂમદોષ રહિત, સંયોજના દોષ રહિત, સબડકા રહિત, સુ–સુ અવાજ કર્યા વિના, ચપચપ શબ્દથી રહિત, અત્યંત શીઘ્રતા કે વિલંબ રહિત અંશમાત્ર નીચે ઢોળ્યા વિના કે છોડ્યા વિના, ગાડાની ધરીને તેલાદિ પદાર્થ લગાડવાની જેમ અથવા ઘા પર લગાવાતા લેપની જેમ, કેવલ સંયમ યાત્રાના નિર્વાહ માટે, બિલમાં સર્પ સીધો પ્રવેશ કરે છે તેમ આહાર કરે છે, તેને હે ગૌતમ ! શસ્ત્રાતીત, શસ્ત્રપરિણામિતાદિ આહાર પાણી કહેવાય છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુના આહારની સમગ્ર વિધિ સાધુના વિશેષણ રૂપે પ્રગટ કરી છે. શસ્ત્રાતીત અને શસ્ત્રપરિણામિત આહારનું સ્વરૂપ દર્શાવતા સૂત્રકારે સાધ્વાચાર અને પરિ ભોગેષણાની મહત્તા બતાવી; એષિત, વેષિત અને સામુદાનિક આહારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy