________________
શતક—૩ : ઉદ્દેશક-૭
૪૭૫
લોકપાલની અધીનતામાં છે.
કર્કોટક, કર્દમક, અંજન, શંખ, પાલક, પુંડ્ર, પલાશ, મોદ, જય, દધિમુખ, અયંપુલ આદિ દેવો તેના પુત્ર સ્થાનીય છે.
મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં થતી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુકાળ, દુષ્કાળ, ઝરણા, તળાવ આદિ અને તેના દ્વારા થતા જનક્ષય, ધનક્ષય આદિ કાર્યો વરુણ દેવની જાણકારીમાં હોય છે.
તેની સ્થિતિ દેશોન બે પલ્યોપમની અને તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. * વૈશ્રમણ :– સ્વયંના વિમાનવાસી દેવ, સુવર્ણકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર જાતિના દેવ, દેવી,
વાણવ્યંતર દેવ–દેવી તેની આધીનતામાં છે.
પૂર્ણ ભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સુમનભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણ રક્ષ વગેરે દેવો તેના પુત્ર સ્થાનીય છે. મેરૂપર્વતથી દક્ષિણ વિભાગમાં સોના ચાંદીની ખાણ, દાટેલું ધન, માલિક રહિત ધન, ધનવૃષ્ટિ, ગંધમાલા, ચૂર્ણ આદિ સુગંધી પદાર્થો, વસ્ત્ર, ભોજન અને ક્ષીર તેમજ સુકાલ, દુષ્કાલ, પર્વતાદિમાં રાખેલું ધન આદિ કાર્યો તેને જ્ઞાત જ હોય છે. તેની સ્થિતિ બે પલ્યોપમની અને તેના પુત્રસ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. આ રીતે ચારે લોકપાલનું વિસ્તૃત વર્ણન આ ઉદ્દેશકમાં છે.
܀܀܀܀܀