________________
શતક-૩ઃ ઉદ્દેશક-૬
.
૪૬૭ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે અણગાર તે જનપદ વર્ગને તથાભાવે જાણે, દેખે છે કે અન્યથાભાવે જાણે, દેખે છે?
ઉત્તર- હે ગૌતમ! તે અણગાર તે જનપદ વર્ગને તથાભાવે જાણતા અને દેખતા નથી, પરંતુ અન્યથા ભાવે જાણે, દેખે છે. | ७ से केण?णं भंते ! जाव पासइ ?
गोयमा ! तस्स खलु एवं भवइ- एस खलु वाणारसी णयरी, एस खलु रायगिहे णयरे, एस खलु अंतरा एगे महं जणवयवग्गे । णो खलु एस महं वीरिय- लद्धि वेउव्वियलद्धि विभंगणाणलद्धी; इड्डी जुई जसे बले वीरिए, पुरिसक्कार- परक्कमे लद्धे पत्ते अभिसमण्णागए । से से दसणे विवच्चासे भवइ । से तेणटेणं जाव पासइ ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે અણગાર તે જનપદ વર્ગને અન્યથા ભાવે જાણે, દેખે છે?
ઉત્તર- હે ગૌતમ! તે સાધુના મનમાં એ પ્રકારનો વિચાર હોય છે કે આ વાણારસી નગરી છે અને આ રાજગૃહ નગર છે તથા બંનેની વચ્ચે આ એક મોટો સ્વભાવિક જનપદ વર્ગ છે. પરંતુ મારી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને વિર્ભાગજ્ઞાનલબ્ધિ નથી. મને મળેલી, પ્રાપ્ત થયેલી અને સન્મુખ થયેલી ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ નથી. આ રીતે તે સાધુનું દર્શન (સમજણ) વિપરીત હોય છે. તેથી તે તથાભાવે નહીં, પણ અન્યથા ભાવે જાણે–દેખે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર દ્વારા વિદુર્વણા કરવાના અને તર્ગત રૂપોને જાણવા–દેખવાના સંબંધમાં પ્રશ્નોત્તર છે.
માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર :- અહીં માયી શબ્દ મિથ્યાદષ્ટિનું સ્વરૂપ વિશેષણ છે, માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગ્દષ્ટિ આ બંને શબ્દો આગમમાં પ્રચલિત છે માયી અને અમાયી શબ્દથી ક્રમશઃ અનંતાનુબંધી કષાયનો સદ્ભાવ અને અભાવ અપેક્ષિત છે. અણગાર જ્યારે મિથ્યાદષ્ટિ થઈ જાય છે ત્યારે તેને અનંતાનુબંધી કષાયનો સદ્ભાવ હોય છે. તેથી તે માયી મિથ્યાદષ્ટિ અણગાર કહેવાય છે. પરિણામોની ચંચળતાથી ભાવિતાત્મા પણ મિથ્યાદષ્ટિ થઈ શકે છે.
વ્યવહારથી, બાહ્ય લિંગથી અથવા ક્રિયાકાંડથી જે ભાવિતાત્મા અણગાર હોવા છતાં જેની દષ્ટિ મિથ્યા પરિણત છે, તેવા અણગારનું સૂત્રકારે કથન કર્યું છે અથવા કોઈ અપેક્ષાએ પોતાના સિદ્ધાંત અનુસાર