SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૦ ] શ્રી સમવાયાંગ સૂત્ર ભાવાર્થ – જે દુષ્ટાત્મા અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગ(સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન સમ્યક્યારિત્રરૂપ મોક્ષ માર્ગ)થી ભ્રષ્ટ કરે છે, ન્યાય માર્ગની દ્રષપૂર્વક નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ વીસમું મહામોહ બંધસ્થાન છે. आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए । ते चेव खिसइ बाले, महामोहं पकुव्वइ ।।२४।। ભાવાર્થ - જે વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર પ્રાપ્ત કર્યા હોય, તેની જ આજ્ઞાની અવહેલના(નિંદા) કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ એકવીસમું મહામોહ બંધ સ્થાન છે. आयरिय-उवज्झायाणं, सम्म णो पडितप्पइ । अप्पडिपूयए थद्धे, महामोह पकुव्वइ ।।२५।। ભાવાર્થ :- જે અભિમાની વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા કરતા નથી, તેમનો આદર-સત્કાર કરતા નથી, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બાવીસમું મહામોહ બધસ્થાન છે. अबहुस्सुए य जे केई, सुएणं पविकत्थइ । सज्झायवाय वयइ, महामोह पकुव्वइ ।।२६।। ભાવાર્થ :- બહુશ્રત ન હોવા છતાં જે વ્યક્તિ સ્વયંને બહુશ્રુત, સ્વાધ્યાયી, અને શાસ્ત્રોના રહસ્યોના જાણકાર કહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રેવીસમું બંધ સ્થાન છે. अतवस्सीए य जे केई, तवेणं पविकत्थइ । વ્રતોયારે તે, મહામો પશુ ારા ભાવાર્થ :- તપસ્વી ન હોવા છતાં વ્યક્તિ સ્વયંને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. આવી મિથ્યા આત્મશ્લાઘા કરનારા મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોવીસમું મહામોહ બંધ સ્થાન છે. साहारणट्ठा जे केई, गिलाणम्मि उवट्ठिए । पभू ण कुणइ किच्चं, मज्झं पि से ण कुव्वइ ।।२८।। सढे णियडीपण्णाणे, कलुसाउलचेयसे । अप्पणो य अबोही य, महामोह पकुव्वइ ।।२९।। ભાવાર્થ - અન્યની સેવા માટે પોતે સમર્થ હોવા છતાં જે વ્યક્તિ તેણે મારી સેવા કરી નથી અથવા
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy