________________
| અધ્યયન-૧/ઉદ્દેશક-૧
પ્રથમ અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ 'સમય' છે.
શબ્દકોષમાં "સમય" શબ્દના ભિન્ન ભિન્ન અર્થો જોવા મળે છે. તે આ પ્રમાણે છે, કાળ, શપથ, સોગંદ, આચાર, સિદ્ધાંત, આત્મા, અંગીકાર, સ્વીકાર, સંકેત, નિર્દેશ, ભાષા, સંપત્તિ, આજ્ઞા, શરત, નિયમ, અવસર, કાળ, વિજ્ઞાન, સમયજ્ઞાન, શાસ્ત્ર, પ્રસ્તાવ, આગમ, સૂક્ષ્મ કાળ, રિવાજ, સામાયિક, સંયમ વિશેષ, સુંદર પરિણામ, મત, પરિણમન, દર્શન, પદાર્થ વગેરે.
આ અધ્યયનમાં "સમય" શબ્દ સિદ્ધાંત, આગમ, શાસ્ત્ર, મત, દર્શન, આચાર તેમજ નિયમ વગેરે અર્થમાં પ્રયુક્ત થયો છે.
નિર્યુક્તિકારે "સમય" શબ્દ પર ૧૨ પ્રકારે નિક્ષેપ આયોજ્યા છે.
૧. નામ સમય, ૨. સ્થાપના સમય, ૩. દ્રવ્ય સમય, ૪. કાળ સમય, ૫. ક્ષેત્ર સમય, ૬. કુતીર્થ સમય, ૭. સંકેત સમય, ૮. કુળ સમય-કુલાચાર, ૯. ગણ સમય-સમૂહ-સમુદાય, ગચ્છનો આચાર, ૧૦. સંકર સમય-સમ્મિલિત સંઘનો આચાર, ૧૧. ગંડી સમય–જુદા જુદા સંપ્રદાયોની પ્રથા અને ૧૨. ભાવ સમય–અનુકૂળ-પ્રતિકૂળ જુદા જુદા સિદ્ધાંતો-મતો.
આ અધ્યયનમાં સમય શબ્દથી "ભાવસમય"નું ગ્રહણ કરવું જોઈએ. બાકીના સમય માત્ર હોય (જાણવા યોગ્ય) છે.
આ "સમય" અધ્યયનમાં સ્વ–પર સિદ્ધાંત, સ્વ–પર દર્શન, સ્વ–પર મત તેમજ સ્વ–પર આચાર આદિની પ્રરૂપણા કરવામાં આવેલ છે, જેને "સ્વ–પર સમય વક્તવ્યતા" પણ કહેવામાં આવે છે.
આ સ્વ–પર અધ્યયનના ચાર ઉદ્દેશક છે. પહેલા ઉદ્દેશકમાં બંધન અને મુક્તિનો ઉપાય બતાવતાં પંચમહાભૂતવાદ, એકાત્મવાદ, તજીવ તન્શરીરવાદ (શરીર તે જ જીવ અને જીવ તે જ શરીર એમ માનનાર મત) અકારકવાદ, આત્મષવાદ, અફલવાદનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
બીજા ઉદ્દેશકમાં નિયતિ વાદ, અજ્ઞાન વાદ, તથા બૌદ્ધ મતનું વર્ણન છે.
ત્રીજા ઉદ્દેશકમાં આધાકર્મી આહારના સેવનથી લાગતા દોષો બતાવી કતવાદ, જગતના કર્તા તથા લોકની ઉત્પત્તિ સંબંધી વિભિન્ન માન્યતાઓ અને મોક્ષ સ્વરૂપ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાઓનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org