________________
શ્રી ચગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
જેમ અત્યંત તીક્ષ્ણ હોય છે. તે તીક્ષ્ણ જલધારાથી નારકીનાં અંગો કપાય છે. આ નદી ઘણી જ ઊંડી તેમજ દુર્ગમ છે, નારકી જીવો પોતાની ગરમી અને તરસને મિટાવવા માટે આ નદીમાં કૂદે છે, તો તેઓને ભયંકર દુ:ખોનો સામનો કરવો પડે છે. કેટલીકવાર બળદોને આરા ભોંકીને ચલાવવા અથવા ભાલાથી વીંધીને ચલાવવાની જેમ નારકીઓને સતાવીને આ નદીમાં કૂદવાની અને તેને પાર કરવાની ફરજ પાડવામાં આવે છે.
ર૩૮
(ર) પરમધામીકૃત દુઃખ ઃ
પરમાધામી દેવ અસુરકુમાર જાતિના એક પલ્યોપમની ઉંમરના દેવ છે. ભગવતી સૂત્ર અનુસાર સામાન્ય રીતે અસુરકુમાર દેવ ત્રીજી નરક સુધી જાય છે. માટે પરમાધામી દેવ પણ ત્રીજી નરક સુધી જાય છે, એવી અર્થ પરંપરા છે. ખરેખર, પ્રથમ નરકના નારકી જીવોની સંખ્યા પરમાધામી દેવો કરતાં અસંખ્યગણી છે એટલે કે નારકી જીવોની સામે પરમાધામી દેવો સિંધુમાં બિંદુ જેટલા પણ નથી. માટે પ્રથમ નરકમાં પણ સમસ્ત નારકી જીવોને દુઃખ દેવા પરમાધામી દેવો પહોંચી શકતા નથી. તે નારકી જીવોને ક્ષેત્રકૃત વેદના અને પરસ્પરની વેદના વિશેષ હોય છે. તેમ છતાં પૂર્વના વૈરી પરમાધામી દેવો નારીઓને વિવિધ પ્રકારે યાતના આપતા રહે છે.
હળ છિંદ : - નરકમાં ઉત્પન્ન થતાં જ નારકીઓના કાનમાં પરમાધામીઓના ભયંકર શબ્દો પડે છે, આ પાપી મહાઆરંભ– મહાપરિગ્રહ આદિ પાપકર્મ કરીને આવ્યો છે, તેથી તેને મુદ્ગરથી મારો ! તલવારથી કાપો ! તેના ટુકડે ટુકડા કરી નાખો ! શૂળથી વીંધી નાંખો ! ભાલામાં પરોવી દો ! તેને અગ્નિમાં ફેંકીને બાળી દો; આ અને આવા પ્રકારના કર્ણકટુ, મર્મવેધી, ભયંકર શબ્દોને સાંભળતા જ તેઓ ભયના કારણે બેહોશ થઈ જાય છે.
ગાથા ૬ થી ૨૫ સુધી વર્ણિત પરમાધામી દેવકૃત વેદના આ પ્રમાણે છે– (૧) નરકમાં ઉત્પન્ન થતાં નારકીને ભયંકર શબ્દોથી ભયભીત કરે છે (૨) વૈતરણી નદીમાં કૂદવા અને તરવા માટે મજબૂર કરે છે (૩) નૌકા પર ચડતી વખતે નારકીઓના ગળામાં ખીલાં ભોંકાવે છે (૪) લાંબી શૂળો અને ત્રિશૂળોથી વીંધીને જમીન પર પટકે છે (૫) નારકીઓના ગળામાં શિલાઓ બાંધીને અગાધ જળમાં ડૂબાડે છે (૬) તપ્ત રેતી અથવા ભટ્ટીની જેમ તપ્ત આગમાં નાંખીને નારકીઓને પકાવે છે. (૭) ચારે દિશાઓમાં ચારે બાજુ અગ્નિઓ પેટાવી નારકીઓને તપાવે છે (૮) નારકીઓના હાથપગ બાંધી તેઓને કુહાડાથી કાપે છે (૯) નારકીઓના માચાના ચૂરેચૂરા કરી નાખે છે. (૧૦) પીડાથી તરફડતા નારકીઓને ઊંધાચત્તા ફેરવી જીવતી માછલીની જેમ લોખંડની કડાઈમાં સેકે છે (૧૧) નારકીઓને વારંવાર તીવ્ર વેગથી પીડા પહોંચાડે છે (૧૨) નારકીઓના અંગોપાંગ કાપીને જુદા પાડે છે (૧૩) પૂર્વજન્મમાં નારીઓ દ્વારા આરિત પાપકર્મોને યાદ કરાવીને તેમના પાપકર્મ અનુસાર દંડ આપે છે (૧૪) નરકપાલોનો માર ખાઈને હેરાન થયેલા નારકીઓ મલમૂત્રાદિ ભરેલ સ્થાનોમાં પડે છે (૧પ)નારીઓને બંધનમાં જકડીને અંગોપાંગોનું છેદન કરે છે, માથામાં છિદ્ર પાડીને પીડા આપે છે (૧૬) નારકીઓના નાક, કાન અને હોઠને અસ્ત્રાથી કાપી નાખે છે (૧૭) એક વેંત જીભ બહાર ખેંચીને તેમાં તીક્ષ્ણ શૂળો ભોંકી અત્યંત દુઃખ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org