________________
૧૨૪ |
| શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
બીજી ગાથામાં વર્તમાનદર્શી અજ્ઞાનીજનોની મનોદશાનું વર્ણન કર્યું છે. ને રૂદ આરંભ બિસિયા :- આરંભ શબ્દ જૈનધર્મનો પારિભાષિક શબ્દ છે. જે કાર્ય અથવા પ્રવૃત્તિથી જીવોના દ્રવ્ય અને ભાવ પ્રાણોનો નાશ થાય, તેને "આરંભ" કહે છે. આરંભના અનેક પ્રકાર છે ભોજન બનાવવું (રાંધવું), લીલી વનસ્પતિ તોડવી, મકાન બનાવવું, જમીન ખોદવી, ખેતી કરવી, અગ્નિ પ્રજ્વલિત કરવી, યંત્રો-કારખાનાઓ ચલાવવા, યુદ્ધ કરવું, લડાઈ-ઝગડા કરવા, બીજાને હેરાન કરવા, માર મારવો, ચોરી, લૂંટફાટ આદિ હિંસા, અસત્ય, ચોરી, આદિ પાપજનક(સાવધ) કાર્ય આરંભ કહેવાય છે. આત્મકલ્યાણની ઈચ્છા રાખનારે સર્વ પ્રકારના આરંભોનો ત્યાગ કરવો જરૂરી છે. પરંતુ કેટલાક સાધક શરીર અથવા જીવનને માટે, સુખસુવિધાને માટે મોહવશ થઈ આરંભોમાં સ્વયં પ્રવૃત્ત થઈ જાય છે અથવા બીજાને પ્રવૃત્ત કરે છે. આ રીતે ધીમે ધીમે તેઓની વૃત્તિ એટલી આરંભાશ્રિત થઈ જાય છે કે તેઓ આરંભ વિના જીવી શકતા નથી. તેવા જીવો બીજાં પ્રાણીઓની હિંસા તો કરે છે અને આરંભજન્ય પાપકર્મના ફળ સ્વરૂપે પોતાના આત્માને દંડિત કરે છે. તેથી શાસ્ત્રકારે આરંભાશ્રિત જીવો માટે માથલંડ અને પત નૂસા વિશેષણોનો પ્રયોગ કર્યો છે. આરંભ આસક્ત સાધક એકાન્તભૂસક(પ્રાણી હિંસક) અથવા સત્કર્મનો ધ્વંસક હોય છે.
આ આરંભ- આસક્તિના ફળ સ્વરૂપે તેઓ મરીને પાપલોકમાં જાય છે. પાપલોક = નરક, તિર્યંચગતિ અને તુચ્છ, પાપી, મલેચ્છ માનવો પણ પાપલોકમાં સમાવિષ્ટ થાય છે અથવા તે બાલતા અથવા અકામ નિર્જરાના કારણે દેવગતિ પામે તોપણ આસુરી યોનિમાં ઉત્પન્ન થાય છે.
માણુરિવં હિસં ની વ્યાખ્યા વૃત્તિકાર આ પ્રમાણે કરે છે– અસુરમિય આસુરી, તાં વિશ યતિ, પરyષ્ય વિશ્વત્વિષિ સેવામ: ભવીત્યર્થ " અસુરોની દિશા આસુરી દિશા છે, તેઓ આસુરી દિશામાં જાય છે અર્થાત્ બીજાઓના દાસરૂપ કિલ્વિષી દેવ બને છે અથવા પરમાધાર્મિક અસુર બને છે.
ચૂર્ણિકાર માણૂરિયં પાઠાન્તર માનીને અર્થ કરે છે–ા તત્થ સૂરો વિદ્યતે અર્થાત્ જ્યાં સૂર્ય નથી સૂર્યપ્રકાશ વિના અંધારું છવાયેલુ રહે છે. તેવી દ્રવ્ય અંધકાર અને મોહરૂપ ભાવ અંધકારવાળી ગતિ પામે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે
असूर्यानाम ते लोका अन्धेन तमसावृत्ताः ।
तांस्ते प्रेत्यभिगच्छन्ति, ये केचात्मध्नो जनाः ॥ અસૂર્ય નામનો લોક તે છે, જે ગાઢ અંધકારથી આવૃત્ત છે. જે આત્મદંડક મનુષ્ય છે, તેઓ અહીંથી મરીને તે લોકોમાં જાય છે.
ન ૨ સંવાદ - આ જીવન,આયુષ્ય તૂટે ત્યારે વસ્ત્રની જેમ ફરી સાંધી શકાતું નથી. એમ જીવનના રહસ્યવેતા સર્વજ્ઞોએ કહ્યું છે, તો પણ અજ્ઞાન અને મોહના અંધકારથી વ્યાપ્ત મૂઢ જીવ પાપકર્મમાં નિઃસંકોચ પ્રવૃત્તિ કરે છે. તેઓને તે ભાન જ નથી કે તેઓ જે પાપકર્મ કરે છે, તેના કેટલાં દારુણ દુષ્પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org