SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ | ११ | શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ वियालं पडिपहे पेहाए जाव चित्ताचिल्लडं वियालं पडिपहे पेहाए; णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा, णो मग्गाओ मग्गं संकमज्जा, णो गहणं वा वणं वा दुग्गं वा अणुपविसेज्जा, णो रुक्खंसि दुरुहेज्जा, णो महइमहालयंसि उदयसि कायं विओसेज्जा, णो वाडं वा सरणं वा सेणं वा सत्थं वा कंखेज्जा अप्पुस्सुए जाव समाहीए । तओ संजयामेव गामाणुगाम दूइज्जेज्जा । ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ-સાધ્વી રસ્તામાં મદોન્મત્ત સાંઢ થાવ વિકરાળ ચિત્તા આદિ હિંસક પ્રાણીને સામે આવતો જોઈને તેનાથી ભયભીત થઈને ઉન્માર્ગમાં જાય નહિ, એક માર્ગથી બીજા માર્ગનું સંક્રમણ કરે નહિ અર્થાત્ માર્ગ બદલે નહિ, ગહન વન કે વિષમ સ્થાનમાં પણ પ્રવેશ કરે નહિ, વૃક્ષ ઉપર ચઢે નહિ, તેમજ કોઈ ઊંડા અને વિશાળ પાણીમાં ઉતરે નહીં, આવા પ્રસંગે સુરક્ષા માટે કોઈ વાડની, શરણની, સેનાની કે શસ્ત્રની આકાંક્ષા કરે નહિ પરંતુ ઉત્સુકતા અને ભય આદિથી રહિત થઈને સમાધિભાવમાં લીન થઈને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે. १३ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से विहं सिया, से जं पुण विहं जाणेज्जा- इमंसि खलु विहसि बहवे आमोसगा उवगरणपडियाए संपिंडिया गच्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा जाव समाहीए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । शार्थ :- इमंसि खलु विहंसि = निश्चयथी मा समां बहवे = घg॥ आमोसगा = योर उवगरणपडियाए = साधुना 6५४२९॥नलेवा संपिडिया = (मेगाथन सामे गच्छेज्जा = आवी यतो. ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ કે સાધ્વીના માર્ગમાં જંગલ આવે અને તે જાણે કે આ જંગલમાં ઘણા ચોરો છે. તેઓ ઉપકરણો લેવા માટે ભેગા થઈને આવે છે. તેમ જાણીને સાધુ તેનાથી ભયભીત થઈને ઉન્માર્ગમાં જાય નહીં થાવ સમાધિ ભાવમાં સ્થિર રહીને યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિહાર કરે. १४ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से आमोसगा संपिडिया गच्छेज्जा, ते णं आमोसगा एवं वएज्जा- आउसंतो समणा ! आहर एयं वत्थं वा पायं वा कंबलं वा पायपुंछणं वा देहि, णिक्खिवाहि । तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय वंदिय जाएज्जा, णो अंजलिं कटु जाएज्जा, णो कलुणवडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा, तुसिणीयभावेण वा उवेहेज्जा । ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં ક્યારેક સામે ચોરો મળી જાય અને તે ચોરો સાથે મળીને કહે કે તું આયુષ્યમાન શ્રમણ ! આ વસ્ત્ર, પાત્ર, કાંબળી, પાદપ્રોંચ્છન અમને આપી દ્યો, અહીં રાખી દ્યો, તો સાધુ તે વસ્ત્રાદિ તેઓના હાથમાં આપે નહિ, પરંતુ ધરતી ઉપર રાખી દે. તેની પાસેથી પાછા લેવા માટે મુનિ તેને પગે લાગીને યાચના કરે નહીં અર્થાત્ તેની સ્તુતિ કે પ્રશંસા કરે નહિ. હાથ જોડીને કે દીન વચન બોલીને વસ્ત્રાદિની યાચના કરે નહિ પરંતુ ધર્મનો માર્ગ સમજાવીને યાચના કરે અથવા મૌનભાવ ધારણ કરી ઉપેક્ષાભાવથી રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy