SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ આ રીતે શ્રમણ મહાવીરને કાયાથી સંયમ, વાણીથી મૌન અને મનથી સમભાવ એ ત્રણે યોગો સહજ પ્રાપ્ત હતા. આ યોગ તેમની સાધનાને વિકસાવ્યે જતા હતા. શ્રમણ મહાવીરને એ પ્રબળ પ્રતીતિ હતી કે સાધક ગમે તેટલો સમર્થ હોય તોય મુક્તિના માર્ગમાં, કર્મ ખપાવ્યા વિના મુક્તિ મળી જવાનો કોઈને માટે અપવાદ હોતો નથી. કર્મમુક્તિ તો કર્મ ભોગવ્યા પછી જ મળી શકે અને કર્મ કાપવાના માર્ગમાં કષ્ટ તો સ્વાભાવિક જ હોય. ૪૩૨ (ઉદ્દેશક ૩, ગાથા ૨) લાઢ દેશમાં વજભૂમિ અને શુભ્રભૂમિ એ બન્ને ભૂમિનો વિભાગ તે કાળે પ્રાયઃ અનાર્ય લોકોની વસતિથી વ્યાપ્ત હોવો જોઈએ. જેનામાં આર્યના ગુણો જેવા કે માનવતા, દયા, પ્રેમ, ઉદારતા, પરોપકાર, સંયમ કે ત્યાગ ઈત્યાદિ ન હોય પણ મૂઢ સ્વાર્થ અને નિર્દયતા જ હોય કે એને લઈને જેઓ પાશવી અને પૈશાચિક કર્મો કરતાં હોય તથા પરલોકનો કે સ્વકૃત કર્મોના પરિણામનો ડર ન રાખતા હોય, તેમને અનાર્ય કહેવાય. આજે પણ આવી વસતિ પ્રાયઃ જંગલો અને ખીણોમાં મળી આવે છે. તેમનું જીવન વ્યવસ્થિત શ્રમજીવી નથી હોતું. પ્રાયઃ લૂંટીને કે જે તે ખાઈને તેઓ જીવન લંબાવતા હોય છે. તેઓમાં માહે માહે પણ ખાસ સામાજિક નિયમો નથી હોતા. શક્તિ એ જ એમનો નિયમ. એટલે જ સૂત્રકાર કહે છે કે તે વિભાગો સાધુજનોને જવા માટે દુર્ગમ્ય હતા. એ પ્રદેશો જંગલ, ખીણો અને પહાડોને લઈને કેવળ માર્ગની દૃષ્ટિએ જ નહિ બલકે ત્યાં વસતી માનવજાતિની સંસ્કૃતિની દૃષ્ટિએ પણ દુર્ગમ્ય હતા છતાં શ્રમણ મહાવીરે ત્યાં વિચરવું યોગ્ય ધાર્યું. અહીં જ તેમની સહજ ઉદારતાની પૂરેપૂરી પ્રતીતિ થાય છે. જ્યાં આર્યો હોય ત્યાં આર્યોનું સન્માન હોય જ અને ત્યાં ખાસ ઉપસર્ગો પરજન્ય બાધક સંકટો આવવાના પ્રસંગો પણ ભાગ્યે જ મળે, પણ અનાર્ય ભૂમિમાં તો એવા પ્રસંગો પળેપળે સાંપડે અને ત્યાં સમભાવનો નમૂનો પૂરો પાડવાથી પોતાને અને પરને બન્નેને લાભ થાય. પરને એટલા માટે કે આવા ચારિત્રની અનાર્યોને પણ અસર થવાનો સંભવ રહે કારણ કે તેઓ પણ મનુષ્ય છે, તેઓમાં પણ લાગણી જેવું તત્ત્વ છે. માત્ર નિમિત્ત ન મળવાના કારણે વાતાવરણ વશ તેમનું અનાર્યત્વ વધતું જાય છે. એટલે અનાર્યોને આર્યત્વના આંદોલનો મળે એ શુભ નિષ્ઠા પણ શ્રમણ મહાવીરના અનાર્ય ભૂમિના ગમન પાછળ ફલિત થાય છે. જગતકલ્યાણના ઈચ્છુક શ્રમણ ભગવાન મહાવીરની આ યોગ્યતાએ જ તેઓ વિશ્વકલ્યાણના સાધક, સર્વજ્ઞ અને ભગવાન બની શક્યા. (ઉદ્દેશક ૩, ગાયા ૫, ૬) અસમર્થો મવેત્સાપુ: એવું કોઈ સમજતા હોય તે ખાતર શ્રમણ મહાવીરની વીરતાને સૂત્રકારે પ્રશંસી છે અને તે સમુચિત છે. પ્રત્યેક કાર્યમાં વીરતાની આવશ્યક્તા છે. અહિંસા પણ સાચો વીર જ પાળી શકે. કર્તવ્ય ધર્મ પણ વીર જ બજાવી શકે. આ વાત અનુભવગમ્ય છે. જે વીર નથી હોતો તે કોઈને ક્રિયાથી ન મારે તો ય વૃત્તિનો તો તે પામર અને નિર્માલ્ય હોઈ અનેકગણી માનસિક હિંસા કરી નાંખે છે. એટલે જેની વૃત્તિમાં સાચી વીરતા છે તે જ સાધક આ સંગ્રામમાં પાર ઊતરે છે, એમ સમજવું, શ્રમણ જ્ઞાતપુત્ર બહારનું યુદ્ધ છોડી તેના કારણને શોધ્યા પછી કેવળ આંતરિક સંગ્રામના અખંડ વિજેતા બન્યા અને રહ્યા હતા, માટે જ મહાવીર તરીકે પંકાયા. બહારના સંગ્રામનો વિજેતા સાચો વીર નથી. જે આંતરિક સંગ્રામનો વિજેતા છે તે જ વીર છે. બહારના સંગ્રામમાં બહારના સાધનો હોય, પણ આત્મસંગ્રામમાં તો કેવળ આંતરિક સાધનો જ હોય. બહારનો વિજેતા પોતાને કે પોતાના સાચા શત્રુઓને ભાગ્યે જ પીંછાની શકવાથી લડે છે કે હણે છે ખરો; પણ એ કેવળ સાધનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy