SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૮૨ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ પદાર્થોનો ત્યાગ એટલે કેવળ નિમિત્તોનો ત્યાગ. તે ત્યાગ ઉપાદાનની–સત્ત્વની સંશુદ્ધિ અર્થે ઉપયોગી નિવડે એટલા માટે છે તેથી હવે તો સાધનાનો ઉત્તમ અવસર મળેલો જાણી ઊલટું બેવડી રીતે જાગૃત રહેવું ઘટે, એટલે કે ક્ષણ પણ પ્રમાદ ન કરવો ઘટે. પ્રવૃત્તિમાનને નિષ્ક્રિયતા તેટલી નથી પડતી, જેટલી નિવૃત્તિમાનને પીડે છે. સર્વત્ર નિવૃત્તિને ઈચ્છતો સાધક જો ઈન્દ્રિયો અને ચિત્ત પર સાવધાની ન રાખે તો પૂર્વની અધ્યાસેલી અને બીજરૂપે રહેલી વાસનાઓને તે બમણા જોરથી બહાર લાવે છે, એટલે નિવૃત સાધકને ચિત્તના ધર્મો પર ખૂબ જ લક્ષ્ય રાખવું રહ્યું. અનુભવ પણ એમ જ છે કે જે સાધકો પદાર્થ ત્યાગને ત્યાગ કલ્પી ગાફેલ રહ્યા છે–પ્રમત્ત થયા છે, તેઓને પસ્તાવું જ પડ્યું છે. પદાર્થો, વિષયોનો ત્યાગ એટલે ત્યાગનો સંકલ્પ જમાવવો તે. સંકલ્પબળ પછીની સાધનાથી સહજત્યાગ પર જવું એ જ ત્યાગની સિદ્ધિ ગણાય. (ઉદ્દેશક, ૩સુત્ર ૧) અહીં જે અહિંસાનું પ્રતિપાદન છે તે અહિંસાવિશ્વેક્યના અર્થમાં છે. ત્યાગી સાધક આત્મવતુ સર્વને જુએ એટલે કે ત્યાગીના માનસની ઊંડાણમાં પણ કોઈ વ્યક્તિ પરત્વે દ્વેષ, તિરસ્કાર કે ધૃણા નહોય એટલું જ નહિ, પરંતુ આ મારાથી અધમ ને હલકો છે, અલ્પગુણી છે એવી યે ભાવના ન હોય. ત્યાગ એટલે એક નાનીશી નિર્ઝરિણીનું વિશ્વના મહાસાગરમાં મળી જવું તે, પોતાના વ્યક્તિત્વનું વિશ્વના વ્યક્તિત્વમાં સમર્પણ કરવું તે. પણ વ્યક્તિત્વ જાગ્યા વિના વ્યક્તિત્વનું સમર્પણ પણ ન સંભવે! એટલે પ્રથમ વ્યક્તિત્વ વિકસે અને પછી સમર્પણ થાય. (ઉદ્દેશક, ૩સૂત્ર ૧) વિશ્વ સાથેનું ઐક્ય એટલે યદ્યપિ શુદ્ધ વિરુદ્ધ ન ળીયન નાળીયY જગત શું કહે છે? કેમ ચાલે છે? તેની રાહે રાહે ચાલવામાં ડહાપણ છે એવી દષ્ટિ નહિ. જોકે કેટલાક ત્યાગી સાધકો પણ આવું માની પોતાનું ગાડું ગબડાવ્યે જાય છે અને બાહ્ય રીતે એ પૂર્ણ ત્યાગી પણ દેખાય છે છતાં બીજાની એટલે બીજા ગૃહસ્થોની શરમથી, પરસ્પરની એટલે સાધકોની પોતપોતામાં શરમ લાગવાથી રખે આ ક્રિયા જોઈ બીજાઓ મને નિંદશે, કે મારી પૂજા કે પ્રતિષ્ઠામાં ક્ષતિ પહોંચશે, એવી એવી સમાજૈષણા કે લૌકેષણા ખાતર ડરીને જે પાપકર્મ નથી કરતા તેઓ આદર્શ ત્યાગી નથી. જ્યાં સમતા છે ત્યાં જ ત્યાગ છે, જે ત્યાગમાં નિર્ભયતા અને સ્વાભાવિકતા નથી, તે ત્યાગવિકાસમાં ઉપયોગી નીવડતો નથી, એમ બતાવી સૂત્રકાર મહાત્મા સમભાવની સિદ્ધિ એ જ ત્યાગનું ફળ છે, તેવું આ સૂત્રમાં સમજાવે છે. ત્યાગથી પદાર્થો પ્રત્યે તિરસ્કાર નજન્મે, ઘણાયે ન જન્મે, આવેશજન્યકિંવા લાગણીજન્ય (માની લીધેલો) આનંદ પણ ન જન્મે, પરંતુ આત્માની સમતોલતા જાગે અને આ સમતોલતા એ જ આત્માના સહજ આનંદનો યથાર્થ અનુભવ. (ઉદ્દેશક, ૩ સૂત્ર ૬) સમતાયોગની જેમ જેમ સાધના થતી જાય, તેમ તેમ રાગ અને દ્વેષ ઘટતો જાય અને રાગદ્વેષ ગયા પછી આત્મસંવેદન દેહ હોવા છતાં આત્મભાવે સહજ રીતે થતું જાય. આવા યોગી પુરુષને કોઈ શસ્ત્રો છેદીભેદી કે બાળી શકતા નથી, એનો અર્થ એ કે દેહ પર થતી તેવી કોઈ પણ અસર તેની આત્મીય એકાગ્રતામાં ડખલ કરી શકતી નથી. આ દશા અધ્યાત્મ યોગીઓની સહજ દશા છે. યોગીઓ આ ભૂમિકા પર સહજ રીતે હોય છે. દેહને લેશ પણ ઈજા ન થાય તેવી સિદ્ધિઓ તેમને પ્રાપ્ત હોવા છતાં તેઓ તેને તુચ્છ ગણે છે. જગતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy