________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેગથી કદી તૃષ્ણ સમતી નથી.
જીવનાર કરતાં જીવાડનાર અને ખાનાર કરતાં ખવરાવનાર મોટો છે.
આપીને ખુશી થાઓ, માફ કરીને મોટા થાઓ અને સહુને અભય કરી નિર્ભય બને.
યુદ્ધ ગમે તેટલું ન્યાયી હય, ગમે તેટલું અનિવાર્ય હોય પણ આખરે તે એ માનવ સમાજ માટે શ્રાપરૂપ જ છે.
પૃથ્વી સમસ્તનું સૈન્ય તમને મળી જાય, ભોગ માત્ર તમારા ચરણે ઠલવાચ પણ તેથી તમને જીવનનું સુખ અને મનની શાંતિ મળવી સંભવ નથી.
પવિત્રતા પાત્રતાને લઈને આવે છે અને પાત્રતા વ્યક્તિને પૂર્ણતા પ્રધાન બનાવે છે.
કર્તવ્યહીન જીવન ભારરૂપ છે.
[૮]
For Private And Personal Use Only