________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જ્ઞાન ત્યાં સાન.
એક બ્રાહ્મણને એક પુત્રી ને બે પુત્રો હતા. પુત્રી ચતુર હતી. તેનામાં શ્રેષ્ઠ જ્ઞાન ને અસાધારણ બુદ્ધિ હતાં. તેણે ગુરુઓ પાસેથી શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું હતું. બ્રાહ્મણને ત્યાં સીમાતીત ગરીબાઈ હતી. તેના ઘર ઉપર છાપરું પણ ન હતું, રાત્રે સુસવાટા વાતે પવન અંદર આવતો હતો.
ગરીબીમાં સમજણ હોય તે જીવન સુંદર બની જાય છે. પણ ગરીબી પચાવવી ઘણું જ આકરી છે. આજે જ્ઞાનની વિશિષ્ટતા નથી, ધનની છે. દુઃખમાં ધન નહીં નહીં પણ જ્ઞાન જ કામ લાગવાનું છે. તેમાંય પૈસાની ગરીબી કરતાં મનની ગરીબી ખરાબ છે.
આ ગરીબ બ્રાહ્મણની દીકરી કૂવા કાંઠે પાણી ભરવા ગઈ. ત્યારે પુરોહિત પૂરપાટ દોડતા ઘોડા પર ત્યાં આવે છે, તેને ઘણી તરસ લાગી હતી. પેલી છોકરી પાસે પાણી માગ્યું, છોકરી તરત પણ આપતી નથી. બે વખત પાણું કાઢીને ઢાળી દે છે. પછી ત્રીજી વખતે પાણી પીવડાવે છે.
પુરોહિતને આશ્ચર્ય થયું. તેને પાણી ઢળવાનું કારણ પૂછ્યું તે છોકરીએ જવાબ આપે : તમે દોડતા આવ્યા હતા, તેથી તરત જ પાણી પીવાથી પેટમાં ગળે બંધાઈ જાય, તેથી શાંતિ થયા પછી મેં પાણી પાયું.”
For Private And Personal Use Only