________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ
ધર્મ, આદર્શ અને મૂલ્યોની પ્રતિષ્ઠાને કારણે ભારતીય સંસ્કૃતિ અનેક ઝંઝાવાતો વચ્ચે ટકી રહી છે. ધર્મ એ જીવનની અવસ્થા છે, અનુશાસન છે. ધર્મ દ્વારા માનવતા પ્રસરી રહી છે. ધર્મ હોય ત્યાં અરાજકતા સંભવી શકે નહીં. દુનિયાનો કોઈ ધર્મ કહેતો નથી કે ચોરી કરો, હિંસા કરો, પાપ કરો, દુરાચાર કરો. દરેક ધર્મોએ સદાચાર અને આત્માના પરમ ગુણો ઉપર ભાર મૂક્યો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એ ધર્મના આધારસ્તંભો છે. ધર્મ સાધના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આપણે સાધના દ્વારા સ્વયંની ખોજ કરવાની છે. આત્માને જાણ્યા વગર સાધનાના પથ પર આગળ વધી શકાય નહીં. આ માટે કષ્ટ પણ થાય. સાગરના કિનારે ફરવાથી મોતી પ્રાપ્ત થતાં નથી. મોતી મેળવવા માટે સાગરમાં ડૂબકી મારવી પડે છે. ધર્મ અને જ્ઞાનપ્રાપ્તિની જેમને જિજ્ઞાસા છે અને ધર્મનાં સનાતન સત્યોને જાણીને જે લોકો પોતાના જીવનને ઉચ્ચતર માર્ગે લઈ જવા આતુર છે, એવા તમામ લોકોને હું આ પુસ્તક સમર્પણ કરું છું.
પાસાગર
For Private And Personal Use Only