________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭ ૪ સાધન અને સાધ્ય
જેને વિભૂતિ બનવું છે, તેને પહેલાં આત્માની અનુભૂતિ કરવી પડશે. જેનાથી શરીર ચાલે છે, તે આત્માનો જ વિચાર કરવાનો છે. જે આત્મ-તત્ત્વ છે, તેને મુક્ત કરવાનું છે, કારણ કે તે આત્મા કર્મના બંધનથી ચાર ગતિમાં ફરી રહ્યો છે, જન્મ, જરા, મરણના દુઃખમાં સબડી રહ્યો છે.
શરીરને જાળવનાર (આત્મા) છે, ત્યાં સુધી જ નેહિઓ આપણને જાળવે છે. જે દેખાય છે, તેના નહીં પણ જે નથી દેખાતું, તેના જ સૌ મિત્ર છે. જગતમાં જે કેન્દ્રિત છે, તે દેખાતો નથી, અને જે શરીર દેખાય છે, તેને કેન્દ્રિત રાખનાર આત્મા જ છે.
શરીર એ તે આત્માનું મંદિર છે, માટે શરીરને સાધન માનવાનું છે, અને આત્માને સાધ્ય માનવાને છે.
આત્માનો સ્વભાવ તો સદ્ગુણોને છે, જ્યારે અઢારે દોષે તે શરીરના છે.
69
For Private And Personal Use Only