________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૫૧ ૪ શ્રુતજ્ઞાન
-
ફટિક પથ્થર પર ધૂળ લાગેલી હોય ત્યારે તેનું પારદર્શકપણું જાણી શકાતું નથી, પણ તે શુદ્ધ થયા પછી તેની કિંમત અમૂલ્ય બની જાય છે. આ આત્મા આઠ કર્મના પડથી ઘેરાયેલું છે. તેથી તે સંસારમાં રખડે છે.
આત્માના ગુણ જ્ઞાનને છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય છે, તેમ તેમ આત્મા શુદ્ધ બનતો જાય છે. જ્ઞાનથી આત્માનો વિચાર કરવાનો છે. પિતાને અને પરને પ્રકાશિત કરતું હોય તો તે જ્ઞાન જ છે.
શ્રુતજ્ઞાન બોલતું છે અને કેવળજ્ઞાન મૂંગું છે. કેવળજ્ઞાનને બતાવનાર શ્રુતજ્ઞાન છે.
સંસારને પાર કરાવનાર શ્રુતજ્ઞાન છે. આ આત્મા જયારે મુક્ત બની જાય છે, ત્યારે તે સુખી થઈ જાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવને ક્રોધ પાતળે થતાં તે ભગવાન બની જાય છે અને વીર પ્રભુના કાનમાં જ્યારે ખીલા મારવામાં આવે છે, ત્યારે પ્રભુ વિચારે છે કે અજ્ઞાનથી કરેલું કર્મ જ્ઞાનથી ભેગવવાનું છે. અંધારામાં વાળેલી ગાંઠને પ્રકાશમાં છેડવાની છે.
For Private And Personal Use Only