________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ૪ સર્જન
એક શ્રમથી સર્જન થાય છે, બીજા શ્રમથી પતન થાય છે. માણસના બે જાતના વિચાર છે: એક વિચારથી ઉપર જાય છે, બીજા વિચારથી નીચે જવાય છે.
પ્રભુના વચન પ્રમાણે ચાલનાર ઉર્ધ્વગામી બને છે, અને વચન વિરુદ્ધ ચાલનાર અધોગતિમાં ચાલ્યો જાય છે. જ્ઞાની દરેક કિયા કમ ખપાવવા માટે કરે છે, જ્યારે અજ્ઞાનીની ક્રિયા કર્મ બંધન માટે થાય છે.
એક દારૂડિયાને સમજાવવા લંડનમાં દીનબંધુ રોજ તેની પાસે જતા. દારૂડિયે કહે કે “મને ભગવાનમાં વિશ્વાસ નથી.” ત્યારે દીનબંધુ કહે કે “તારામાં ભગવાનને વિશ્વાસ છે.” પ્રકાશને શ્રદ્ધા છે કે હું અંધકારને દૂર કરી શકીશ. તેમ જ્ઞાનીને વિશ્વાસ છે કે દારૂડિયામાં, ચેરમાં પણ દિવ્ય આત્મા પટેલે છે. તે દિવ્ય આત્માને ઉપર લઈ જવાનો છે. આત્માને પરમાત્મા બનાવવાનું છે.
For Private And Personal Use Only