________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ૪ કરુણા ને ત્યાગ
સમ્યકત્વ દૃષ્ટિવાળા આત્માના હૃદયમાં કરુણાને સ્ત્રોત વહે છે. માનવીના જીવનમાં કરુણાની ભીનાશ હોય તો તેમાં સરસ બગીચો ઉગશે. કરુણાળા હૃદયને મણ સાથે પણ ન સરખાવાય, માખણ સાથે પણ ન સરખાવાય, કારણકે મણ તો અગ્નિના સંસ્કારથી ઓગળી શકે છે, અને માખણ પણ અગ્નિના સંસકારથી ઘી બની જાય છે, પણ કરુણાળું હૃદય તો બીજાનું દુઃખ જોતાં જ ઓગળી જાય છે. બીજાનું દુઃખ એ પિતાનું દુઃખ બની જાય છે.
જ્યાં સુધી તે બીજાના દુઃખને દૂર ન કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. અહિંસક આત્મા બીજાનું દુઃખ જોઈને ખાલી અરેરાટી નથી કરતો, પણ તે દુઃખને દૂર કરે છે.
જ્યાં સુધી બીજાનું દુઃખ દૂર નહીં કરીએ, ત્યાં સુધી વિશ્વમાં કદી સુખ અને શાંતિ નહીં આવે.
આપણે વધારેમાં વધારે પરિગ્રહ રાખીને પ્રજાનું દુઃખ દૂર નહીં કરી શકીએ, પણ ત્યાગથી જ બીજાનું દુઃખ દૂર કરી શકીશું. માણસ પોતે ત્યાગ કરે છે, તે દુનિયામાં સર્જન થાય છે.
For Private And Personal Use Only