________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ૪ દિવ્ય ભાથું
બહાર ગામ જતી વખતે ભાથાની જરૂર છે, તેમ લાંબી મુસાફરીએ ઉપડેલા આત્માને ભાથાની જરૂર છે. પ્રત્યેક સવારે આપણે જાગીશું એવું નક્કી નથી, એક દિવસ તે આંખો મીંચાઈ જવાની છે.
દુનિયાની મેહની ચકરીમાં આપણે તત્ત્વજ્ઞાનની વાતોને ભૂલી જઈએ છીએ. આ જ તે સારી જવાની છે, પણ આવતી કાલને વિચાર કરવાને છે. આત્મા તે સદા પ્રવાસી છે. તે વાસી નથી રહેતું, માટે પ્રવાસીને તે ભાથાની ખૂબ જ જરૂર છે.
એકાંતમાં બેસીને આત્માને પૂછવાનું છે : “તારે જવાનું છે?” જે જવાનું હોય તે જવા માટેની તૈયારી કર.
અહીં મૂકીને જવાની વસ્તુને ભેગી કરવામાં જીવનને વેડફી નાખવાનું નથી. જતી વખતે સાથે કંઈ ન આવે તે એ વસ્તુઓ ભેગી કરવાની શી જરૂર ?
For Private And Personal Use Only