________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૪ શિખામણ
મરતી વખતે બાપે દીકરાને કહ્યું : ગામે ગામે ઘર બાંધજે, તડકે ફરીશ નહીં અને મીઠું ખાજે” આને અર્થ દીકરે ન સમજ્યા, પણ બાપના વૃદ્ધ મિત્રે તેનો અર્થ સમજાવ્યું કે :
૧. ગામે ગામે ઘર બાંધજે, એટલે કે લેકની સાથે સાથે સંબંધ રાખજે.
૨. તડકે ફરીશ નહીં એટલે વહેલી સવારથી તે સૂર્યાસ્ત થાય ત્યાંસુધી દુકાન પર બેસી ધંધો કરજે,
૩. મીઠું ખાજે એટલે કે ખૂબ શ્રમ કરજે કે જેથી તું જે ખાઈશ તે મીઠું લાગશે.
શ્રમ કર્યા વિના પ્રાપ્ત થયેલ પૈસાની કિંમત નથી હતી. શ્રમ કર્યા વિના વારસામાં મળેલ પૈસો દીકરો સ્વછંદ રીતે ઉડાવી દે છે. શ્રમમાં રસ છે, આનંદ છે, સુખ છે, શાંતિ ને સમતા છે.
- સાધુ શ્રમ કરીને જ સિદ્ધિ મેળવે છે, તેથી તે શ્રમણ કહેવાય છે. સાધુઓ શ્રમ કરી કરીને આત્મમંથન કરીને, આત્માનું વલેણું કરીને લોકોને ઉપદેશરૂપી નવનીત આપે છે.
For Private And Personal Use Only