________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
જીવન વિકાસનાં વીસ સોપાન કહેવી નહિ, ને તેનો સ્વાર્થ સિદ્ધ નહિ થાય તો તે નાખુશ થઈને તમારી અવગણના કરશે. ઉપરાંત તમારી ગુપ્ત વાત પણ તમારા વિરોધીને જણાવીને તમને ભારે નુકસાન કરશે.
છતાં કથંચિત્ પરોપકારને માટે કોઈવાર માયાપ્રપંચ કરવું પડે છે તે અનુચિત નથી.
અકબર બાદશાહે એકવાર નાખુશ થઈને તેની એક દાસીને કાઢી મૂકી. તેનું નામ દૌલત હતું. તે ન્યાય માટે બુદ્ધિમાન મંત્રી બીરબલની પાસે ગઈ. બીરબલે તેને એક ઉપાય બતાવ્યો. તે ખુશ થઈને ગઈ અને તક શોધવા લાગી.
ઈદના તહેવારમાં બાદશાહ રાજમહેલના જે ખંડમાં બેસતા હતા ત્યાં તે પહોંચી ગઈ અને બારણા ખખડાવવા લાગી બાદશાહે પૂછ્યું “કોણ છે ? બહારથી તે બોલી ““હું દૌલત છું આપનો આદેશ હોય તો અંદર આવું અથવા બહારથી ચાલી જાઉં?
ઈદના પવિત્ર દિવસે બાદશાહ “દૌલત'ને ચાલી જવાનું કેવી રીતે કહે ? તેથી બાદશાહે કહ્યું “દૌલત હો તો આવી શકે છે' તરત જ દૌલત અંદર આવી તેને પુનઃ નોકરી આપવામાં આવી. તેને પૂછવાથી જાણવા મળ્યું કે આ ઉપાય બીરબલે બતાવ્યો હતો.
त्रिभिर्वर्षस्त्रिभिर्मासै - स्त्रिभिः पक्ष स्त्रिभिदिनै ।
अत्युग्रपुण्यपापाना -
मिहैव संभयते कलम् ॥ અત્યંત ઉગ્ન પુણ્ય - કે પાપનું શુભાશુભ ફળ ત્રણ વર્ષમાં, ત્રણ મહીનામાં કે ત્રણ પખવાડિયામાં છેવટે ત્રણ દિવસમાં પ્રાપ્ત થાય છે.
ઉદાહરણ - મુર્શિદાબાદ શહેરમાં વાસણોનો એક વ્યાપારી રહેતો હતો એક દિવસ સવારે તેની દુકાન ઉપર એક જીપ આવીને ઊભી રહી. તે જીપ 42 cluj edi Govt. of. V.I.P. Supply Dept. a muriell 25 yes બુટેડ ઓફિસર ઊતર્યો વાસણોનો વ્યાપારી તેને જોઈને ખુશ થયો. તે ઓફિસરે વ્યાપારી પાસેથી પાંચ હજારનું અંગત કમિશન લઈને પચાસ હજારના માલની ખરીદી નક્કી કરી આપી. વ્યાપારીએ માલ તૈયાર કરી જીપમાં મુકાવી દીધો. ઓફિસરે તરત જ પચાસ હજારનો ચેક આપ્યો. વ્યાપારીને કંઈ શંકા જવાથી તેણે ચેકના બદલામાં રોકડ રકમ માંગી. ઓફિસરે કહ્યું કે જુઓ સાડાનવ થયા છે. સાડા દસ વાગે બેંક ખૂલશે હું
For Private And Personal Use Only