________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદારતા
પ૯
कृतापराधेऽपिजने, कृपामन्यर तारयोः ।
इसबाष्यार्दयोर्भद्रम्, श्रीवीरखिज न नेगयोः ॥ અપરાધ કે અપકાર કરનાર પર પણ જેની દ્રષ્ટિ કરુણાભીની રહે છે. (ઉપસર્ગ કરનાર સંગમ પર પ્રભુના કરુણાભીનાં નેત્રોઆર્દ્ર બન્યા) ભિજાયેલાં પ્રભુનાં નેત્રો કલ્યાણકારી થાઓ.
ભગવાનના નેત્રોમાં દુઃખને કારણે અશ્રુબિંદુઓ પડ્યાં ન હતાં પણ સંગમ આવું દુષ્કૃત્ય કરીને અધોગતિ પામશે, અને ઘણું કષ્ટ ભોગવશે તેવી તેમાં કરુણા, ઉદારતા અને વત્સલતા હતી.
આપા, આપો” એમ ત્યાગી અને યાચક બંને કહે છે. પરંતુ ઉતાવળમાં તેઓ જોતા નથી કે આપવા યોગ્ય વસ્તુ છે કે નહિ.
યાચકને તો એ વિચારવાની જરૂર નથી કે દાતાની પાસે વસ્તુ છે કે નહિ, અને દાતા પણ એનો વિચાર કરતા નથી.
જો તમે સ્વયં લક્ષ્મીનું ઉપાર્જન કર્યું છે તો તે તમારી પુત્રી સમાન છે, જો પિતાજીએ તે તમને આપી છે તો તે તમારી ભગિની છે. અને જે તમને અન્ય કોઈએ આપી હોય તો તે પરસ્ત્રી છે. હવે વિચાર કરો કે તેનો ભોગ કેવી રીતે થાય. ત્યાગ કરવાની વાતનો હંમેશાં વિચાર કરવો.
યાચકની આકૃતિ જાણીને તેની આવશ્યકતા પ્રમાણે તેના મનોરથ પૂરા કરે છે, તે દાતા ધન્ય છે. તે કોઈના કટાક્ષ વચનો પ્રત્યે લક્ષ્ય આપતો નથી.
त्याग भोग विहीनेन, धनेन धनिनो यदि ।
भवाम् किं न तेनैव, धनेन धनिनो वयम् ॥ ત્યાગ અને ભોગથી રહિત જે કદાચ ધનથી ધનવાન હોય તો અમે તેને ધનવાન કહેતા નથી, તો પછી એવા ધનથી આપણે કેમ ધનવાન નહિ? ધન હોય અને દાન ન કરે અથવા ભોગવે નહિ તો પછી તેને ધન વગરને ધનવાન માનવો ?
જે ત્યાગ અને ભોગથી દૂર રહે છે તે કંજૂસ છે. કંજૂસની પાસે ધન હોય છે તો ઉદારતા નથી હોતી, અને નિર્ધન ની પાસે ઉદારતા હોય છે તો ધનનો અભાવ હોવાથી તે ઉદારતાનો ઉપયોગ કરી શકતો નથી, એથી એક કવિએ કહ્યું છે કે : ““હે વિધાતા ! જો તું મને ધન આપવા માંગતો હોય તો તે ન આપતો પણ મારા હૃદયમાં જે ઉદારતા છે તે તું ધનિકને આપી દે તો તેમાં કર્તવ્ય પૂર્ણ થશે.”
For Private And Personal Use Only