________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચરણ
ગયો છતાં કહો છો કે હું જાણું છું. તમારું જાણવું વ્યર્થ છે.
तोड तिजोरी धन लियो
चोर गयो अति दूर जाणुं जाणुं कर रह्यो जाणपणामें धूर.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના વડોદરા શહેરના સર સયાજીરાવના અધ્યક્ષપણામાં એક સભા ભરાઈ હતી. તેમાં એક મદ્રાસી વિદ્વાનનું તર્કપૂર્ણ પ્રવચન થયું. તેમનો વિષય હતો ‘અહિંસા અને જીવનમાં તેનું મહત્ત્વ.'' પ્રવચનકારની શૈલી અત્યંત રોચક હોવાથી શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈને સાંભળતા હતા. ગરમીના દિવસો હોવાથી પ્રવચનકારના મુખ પર પરસેવો થવા લાગ્યો. તેને લૂછવા માટે વક્તાએ પોતાના ખીસ્સામાંથી રૂમાલ બહાર કાઢયો, પરંતુ બન્યું એવું કે ઉતાવળમાં વિસ્મરણ થવાથી ખ્યાલ ન રહ્યો કે ખીસ્સામાં ખરીદેલાં બે ઇંડા હતાં, તે રૂમાલ સાથે બહાર નીકળી પડ્યાં.
૪૯
શ્રોતાઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યસહ ખેદ પામ્યા. અરે ! અહિંસાધર્મ પર જોરશોરથી પ્રવચન કરવાવાળો આ માનવ કેવી રીતે ઇંડાનું ભક્ષણ કરી શકતો હશે ?
कहते सो करते नहीं मुँहके बड़े लबार काला मुंह हो जायगा साईं के दरबार
વક્તાની દશા તો અત્યંત ભૂંડી થઈ ગઈ. તે તો લજ્જા પામીને એક ખૂણામાં બેસી ગયા. આખરે અધ્યક્ષ સયાજીરાવને બોલવું પડ્યું કે કહેવા અને કરવાના, કથન અને આચરણના અતિશય અંતરને કારણે આ દેશનો સર્વનાશ થઈ રહ્યો છે.
એક કથા વાચક પંડિતજી પોતાના પ્રવચનમાં રોજે રીંગણા ખાવાના પાપનું નિરૂપણ કરતાં હતા. રીંગણ તામસી છે સ્વાર્થ પ્રધાન માનવીને બનાવે છે.
For Private And Personal Use Only
પ્રવચન પૂર્ણ થતાં સૌ પોત પોતાને સ્થાને જવા લાગ્યા. પંડિતજીને જે કંઈ દક્ષિણા મળી તે લઈને શાકબજારમાં શાક લેવા ગયા. પંડિતજીએ બજારમાં સુંદર રીંગણા જોયાં અને દક્ષિણાની રકમમાંથી રીંગણા ખરીદ્યાં. યોગાનુયોગ ત્યાં એક શ્રોતા પણ આવ્યો હતો. તેણે પોતાની પ્રત્યક્ષ નજરે પંડિતજીને રીંગણા ખરીદતા જોયા. તરત જ તેણે પૂછ્યું ‘‘પંડિતજી આપ