________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જીવન વિકાસનાં વીસ સોપાન સ્થાયી તત્ત્વ- આત્મલક્ષ ઉપર અભિમાન હોય તો તે અપેક્ષાએ હિતાવહ છે. પરંતુ મનુષ્યો તો ધન, યૌવન, પરિવાર, પુત્રાદિ અસ્થાયી, નશ્વર વસ્તુનું અભિમાન રાખે છે.
मा कुरू धनजनयौवनगर्वम्, हरति निमेषात्काळः सर्वम् मायामयमिदमखिलं हित्वा,
ब्रह्मपदं त्वं प्रविश विदित्वा હે ચેતન ! ધન, જન, યૌવનનું અભિમાન ન કર ક્ષણવારમાં તે સૌનું અપહરણ થશે. માયા, અજ્ઞાન યુક્ત સંસારનો ત્યાગ કરી મોક્ષના સ્વરૂપને સમજી તેમાં પ્રવેશ કર.
હૃદયમાં છુપાયેલો અહંકાર બહારમાં યુદ્ધ આદરે છે. બીજી વિશ્વયુદ્ધના પ્રણેતા હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું ? તે જાણીને તમને તેની દયા આવશે. અત્યંત કણાજનક સ્થિતિમાં પોતાના જ હાથે પોતે ગોળીથી વીંધાઈને મૃત્યુ પામ્યો. પોતાના વિશ્વાસુ નોકરને કહી રાખ્યું કે મારા મૃત્યુ પછી મને કેરોસીન છાંટીને બાળી મૂકજે. દુનિયાને જીતવા નીકળેલો એ હિટલર સૈન્યની કે કોઈની સલામી પણ પામી ન શક્યો. અત્યંત દયનીય દશામાં ક્યાં ગયો? કોણ જાણે ! અભિમાન જીવનવિકાસ માટે પૂર્ણવિરામ છે.
પ્રગતિ રોકાય છે અને હાનિ વધે છે. લાકડાની અકડાઈ ક્યાં સુધી રહે છે ! અગ્નિની આંચ ન લાગે ત્યાં સુધી.
“હું” શબ્દ અંગ્રેજીમાં આઈ ) કહેવાય છે. કોઈપણ વાક્યમાં તે મોટા અક્ષરે લખાય છે તે પ્રકારે અહંકારી વ્યક્તિનું મસ્તક જ્યાં જાય છે ત્યાં ઊંચું રહે છે. તે હંમેશાં વિચારે છે કે હું મોટો છું. બજાર નાનું છે, હું ઊંચો છું દુનિયા નીચી છે. હું લાંબો છું પૃથ્વી ટૂંકી છે. શરીરનાં બધાં જ અંગો અહંકારવશ પોતાને મોટાં લાગે છે. જેમ કે પગ - અમે ચાલીએ છીએ, દોડીએ છીએ, ફૂટબોલ રમીએ છીએ, શરીરનો આધારસ્તંભ અમે છીએ માટે અમે બધાં અંગોમાં મોટા છીએ.
પેટ : ભોજનને પચવીને આખા શરીરનું પોષણ હું કરું છું ખરું કહો તો લોકો રાતદિવસ શ્રમ જ મારા માટે કરે છે. જો હું ન હોત તો લોકો મહા આળસુ બની જાત.
હાથ : હું સર્વ કાર્ય કરું છું. સ્વજનોને આલિંગન આપું છું. નમસ્કાર મારી સહાય વડે થાય છે. તેથી અમે મોટા છીએ.
For Private And Personal Use Only