________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
વિવેક
સહાનુભૂતિસહિત એક શબ્દ પણ અન્યના દુઃખ દૂર કરવાને પર્યાપ્ત છે. અવિવેકપૂર્ણ કે કટાક્ષ બાણરૂપ એક શબ્દ અન્યના હૃદયને ઘાયલ કરે છે. જ્યાં એક શબ્દ હજારોની ગરદન ઉડાડી દેવામાં નિમિત્ત બને ત્યારે એક શબ્દ પર હજારોની ગરદન ઝૂકી જાય છે. તેવું બને છે.
बोल बोल अमोल है बोल सके तो बोल पहले भीतर तौल कर
फिर बाहर को खोल ॥ જે કંઈ બોલો તે વિચારીને બોલો, સમજીને બોલો, વિવેકપૂર્વક બોલો.
વિવેને ઘમ્પમહિના | વિવેકમાં ધર્મ સમાય છે. ગણધર ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું.
कहंचरे कहं चिट्टे ? कहं मासे कहं सो ? कहं भुजंतो भासन्तो
पावंकम्मं न बंधइ ? હે પ્રભુ કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઊભા રહેવું ? કેવી રીતે બેસવું? કેવી રીતે સૂવું? કેવી રીતે ખાવું? કેવી રીતે બોલવું કે જેનાથી પાપકર્મનો બંધ ન થાય ? ભગવાન મહાવીરે જવાબ આપ્યો :
ऽजयं चरे जयं चिढे जयंमासे जयं सजे । जयं भुजंतो भासन्तो
पावकम्मं न बंधई ॥ યત્નાપૂર્વક (સાવધાની પૂર્વક – વિવેકપૂર્વક) ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું તો પાપકર્મ બંધાતાં નથી.
સંદર, સુસજ્જ કોઈ અતિમૂલ્યવાન મોટરને એક ન હોય તો તેમાં બેસવાનું સાહસ કોણ કરે ? એ પ્રકારે આખા સૃષ્ટિમંડળમાં એક માનવને અમૂલ્ય વચનયોગ મળ્યો છે. તેમાં વિવેકરૂપી બેકની જરૂર છે.
For Private And Personal Use Only