________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
જીવન વિકાસનાં વીસ સોપાન સત્ય ન બોલવું. વળી પ્રિય એવું ના બોલવું કે અસત્ય હોય, આ સનાતન ધર્મ છે.
અંધને “સુરદાસજી' કહો તો અપ્રિય નહિ લાગે. તમને કોઈ એમ કહે કે તમે અપ્રામાણિક છો, ચોર છો તો તમને ખોટું લાગશે, પરંતુ જે એમ કહે કે આપણે પ્રામાણિક રહેવું જોઈએ, શાહુકાર રહેવું જોઈએ. તે વાત તો એક જ પણ આપણને ખરાબ નહિ લાગે.
એક સ્વપ્નફળ પાઠકને રાજાએ પોતાના સ્વપ્નનું ફળ પૂછયું: પાઠકે તે સ્વપ્નફળ જણાવતાં કહ્યું કે “તમે સ્વપ્નમાં તમારા મુખમાંથી બત્રીસી નીકળી ગયેલી જોઈ તેનું ફળ ઘણું વિપરીત છે. આપના કુટુંબના સર્વ સ્વજનો એક પછી એક આપની સામે જ મૃત્યુ પામશે.” આ સાંભળી રાજ અત્યંત મુંઝાઈ ગયો. ત્યાં એક બીજા સ્વપ્ન પાઠકે કહ્યું “મહારાજ ! આપના સ્વપ્નનું ફળ સારું છે આપના સર્વ પરિવારથી આપનું આયુષ્ય અધિક છે. બંને કથનનો અર્થ તો એક જ હતો. છતાં એકના કથનમાં અવિવેક હતો બીજાના કથનમાં વિવેક હતો. પરિણામે રાજાએ બીજા સ્વપ્ન પાઠકને યોગ્ય પુરસ્કાર આપ્યો. પ્રથમ સ્વખપાઠક અવિવેકને કારણે કંઈ પામ્યો નહિ.
વિવેકી મનુષ્યો બદ્ધિનો સદઉપયોગ કરે છે. અને અવિવેકી બુદ્ધિનો દુરુપયોગ કરી પોતાનું અને અન્યનું અહિત કરે છે.
बुद्धि तृष्णा की दासी हुई मृत्यु का सेवक है विज्ञान । चेतना अभी भी नहि मनुष्य
विश्वका का क्या होगा भगवान ॥ જેણે અણુબોંબનું સર્જન કર્યું તેનું મૃત્યુ અત્યંત કરુણાજનક સ્થિતિમાં થયું હતું. પોતાના સર્જનથી તેને ઘોર પ્રશ્ચાતાપ થયો હતો. રડીને અને રિબાઈને અંતે તેનું મૃત્યુ થયું. તેના અંતિમ ઉદ્દગાર હતા Shall I go to hell (હું નક્કી નરકમાં જઈશ)
जब चिडियोंने चुग खेत लिया फिर पछताये का होवत है ? उठ जाग मुसाफिर ! भोर भई
अब रैन कहां जो सोवत है । જ્યારે બાજી જ હાથમાં રહી નથી ત્યાં તું પસ્તાઈને શું કરીશ? છતાં હે જીવ ! જાગ, તું જ્યારથી જાગે ત્યારથી સવાર છે.
For Private And Personal Use Only