________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
નીતિનિયમનું પાલન ન કરે તો સમાજ પર તેમનો કોઈ પ્રિતીભાવ કે પ્રભાવ ન પડે.
उवओसा दिज्जन्ति, हत्ये नच्चा विउण अन्ने सि,
जं अप्पणा न कीरई, किमेस विक्काणुओ धम्मो ? હાથ નચાવીને અન્યને ઉપદેશ આપે પણ જો તેનું પાલન ન કરે તો તે ધર્મ બજારની વેચવાની વસ્તુ છે.
ઉપદેશ આપીને સમાજ દ્વારા નિર્વાહ કરીને અને સત્કાર પ્રાપ્ત કરીને આચરણવિહીન ઉપદેશક ધર્મને બજારુ ચીજ માને છે. લિખિતમુનિ સાચા ઉપદેશક હતા. તે રાજદરબારમાં રાજા પાસે ગયા.
રાજા અને રાજસભાના સૌ તેમનાથી પરિચિત હતા કે આ તો શંખમુનિના નાના ભાઈ છે રાજદરબારમાં પોતાનો અપરાધ માન્ય નહિ થાય તેમ સમજીને તેમણે રાજાને પૂછયું કે :
હે રાજન ! જો કોઈ યોગી સ્વામીની અનુમતિ લીધા વગર બગીચામાં ઘૂસીને ફળ તોડીને ખાય તો તેને કેવી સજા થાય?
મુનિની વાતનો મર્મ કોઈ કેવી રીતે પકડી શકે ? કે આ પ્રશ્ન સ્વયં તેમના જ માટે હશે, તેથી ન્યાયાધીશે રાજનીતિ પ્રમાણે રાજાના સંકેત અનુસાર પ્રત્યુત્તર આપ્યો કે ચોરી કરનારના હાથ કાપી નાખવા પડે.
ન્યાયાધીશના મુખે નીકળેલી ન્યાયની વાતનો સ્વીકાર કરી લિખિતમુનિ તરત જ જલ્લાદ પાસે પહોંચી ગયા અને તેના હાથમાંથી તલવાર લઈ સ્વયં પોતાના જ હાથે ચોરી કરનાર હાથનો ઘાત કરી નાખ્યો; અને પછી પોતે શંખમુનિના બગીચામાંથી ફળની ચોરી કરી હતી તે વાતને જાહેર કરી, અને પોતે સ્વયં સજા સ્વીકારી લીધી. આ ઘટનાથી તેમની સત્યપરાયણતાનો સમાજ પર અધિક પ્રભાવ પડ્યો. અને પ્રજાએ પણ ચોરીના વિચારનો ત્યાગ કર્યો.
૩. પંડિત બનારસીદાસના જીવનનો એક પ્રસંગ છે. એક રાત્રિએ તેમના ઘરમાં એક સાથે નવ ચોર ઘૂસી ગયા. તે સમયે ઘરમાં કાળામરીનો મોટો ઢગલો પડ્યો હતો. તે ચોરોએ એ ઢગલામાંથી પોતાનાં વસ્ત્રોથી મોટી ગાંસડીઓ બાંધી લીધી અને એક બીજાને માથે ચઢાવવા માંડી, પણ છેલ્લાને માથે ગાંસડી કોણ ચઢાવે ? અચાનક પંડિતજી જાગી ગયા. કંઈ સંચાર સાંભળી તેઓ ઊઠીને ચોરોની નજીક આવ્યા, અને પરિસ્થિતિ પામી ગયાં. નવમા ચોરને ગાંસડી ઉપાડવામાં તેમણે સ્વયં સહાય કરી. ચોરો તો ભાગવાની ઉતાવળમાં હતા, તેથી ગાંસડીઓ ઊંચકી વિદાય થયા પરંતુ
For Private And Personal Use Only