________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જીવન વિકાસનાં વીસ સોપાન કરતા નથી. અન્યના ભલા માટે ધન તો આપે પણ જરૂર પડે પ્રાણ આપવા પણ તે ઉત્સુક હોય છે.
પ્રાણ અને ધન બંનેથી પરોપકાર કરવો જોઈએ. તેનાથી જેટલું પુણ્ય થાય છે તેટલું હજારો યજ્ઞો કરવાથી થતું નથી.
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिनं तु कंकणेन । विभाति काया खलसज्जनानाम्
પરોપારેખ નાવનેન | ભતું હરિ : કાન શાસ્ત્ર શ્રવણથી વધુ શોભે છે કુંડળથી નહિ. હાથ કંગન કરતાં પણ દાન વડે વધુ શોભે છે. સજ્જનોનું શરીર પરોપકારથી વધુ શોભા પામે છે. ચંદનના વિલેપનથી બહુ શોભા પામતું નથી.
पद्माकरं दिनकरो विकचं करोति चन्द्रो विकासयति कैरवचवालम् नाम्यथितो जलधरोडपि जलं ददाति
सन्तः स्वयं परहितेषु कृताभियोगाः કમળોના સમૂહની પ્રાર્થના શ્રવણ કર્યા વગર જ સૂર્ય તેમને વિકસિત કરે છે, તે પ્રકારે કુમુદોના સમૂહની પ્રાર્થના શ્રવણ કર્યા વગર ચંદ્ર તેમને વિકસિત કરે છે. મેઘ પણ પ્રાર્થના કર્યા વગર વરસે છે. તે પ્રમાણે સિદ્ધ થાય છે કે સન્તો માંગ્યા વગર જ સ્વયં પ્રેરણાથી પરોપકાર કરે છે, કોઈ પણ જાતનું વળતર માંગ્યા વિના ધર્મશાસ્ત્રો, અને મોક્ષ પ્રધાન ધર્મોના ધર્મ ગુરુઓ નિરંતર જગતના જીવોનું અપૂર્વ હિત કરી રહ્યાં છે.
માતા, પિતા, સ્વામી અને ધર્માચાર્યોના ઉપકારનો બદલો વાળવો દુર્લભ છે. કદાચ ઉપકારનો બદલો કરો તો પણ તેની બરાબરીમાં વાળી શકાતો નથી. સજ્જનોની પાસે જે કંઈ હોય છે તે પરોપકાર માટે જ હોય છે.
पिबन्तिनयः स्वयमेव नाम्भः स्वयं न खादंति फलानि वृक्षाः नावन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः ॥ નદી કદી પોતાનું જળ પીતી નથી વૃક્ષ સ્વયં ફળ ખાતું નથી, મેઘ
For Private And Personal Use Only