________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
જીવન વિકાસનાં વિસ સોપાન ધનનો સંગ્રહ પણ વિવેકનાં અભાવમાં ભયનું કારણ છે. ગુરુ ગોરખનાથને કોઈભક્ત સોનાની એક લગડી ભેટ આપી હતી. તે પોતાની ઝોળીમાં રાખીને પોતાના શિષ્યની સાથે બીજે ગામ જતા હતા. માર્ગમાં તે
જ્યાં વિશ્રામ લેતા ત્યાં પૂછતા કે અહીં કંઈ ભય નથી ને ! આમ વારંવાર તે જ વાતનું ઉચ્ચારણ તેમના મુખેથી થતું, આથી શિષ્યને તેનું કારણ જાણવાનું કુતૂહલ થયું. માર્ગમાં એક કૂવો જોઈને ગુરુજીએ તેના થાળા પર શિષ્યને બેસાડી શૌચ માટે ગયા. આ તકનો લાભ લઈને શિષ્ય ઝોળીમાં હાથ નાંખ્યો ત્યારે તેમાંથી સોનાની લગડી મળી, તેને બહાર કાઢી મસ્પેન્દ્ર નાથે તે લગડી કૂવામાં ફેંકી દીધી. અને તેના બદલામાં એક પત્થર તેવા વજન જેટલો મૂકી દીધો.
ત્યાર પછી શૌચ-સ્નાન આદિથી પરવારી બંને આગળ વધ્યા માર્ગમાં વિશ્રામ માટે રોકાયા, ત્યાં ગુરુજીએ કહ્યું “અહીં કંઈ ભય જેવું નથી ને!'
શિષ્ય કહ્યું “સંન્યાસીને વળી ભય કેવો ? જે ભય હતો તે તો મેં કૂવામાં નાંખી દીધો છે માટે આપ નિશ્ચિત રહો ”
તરત જ ગુરુજીએ જોળીમાં જોયું તો સોનાની લગડીને બદલે પત્થર મળ્યો. પત્થરને દૂર ફેંકીને તેમણે શિષ્યને ધન્યવાદ આપ્યા. કારણ કે તેણે ભયને દૂર કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.
अर्थमनर्थ भावय नित्यम् नास्ति ततः सुखलेशः सत्त्वम् पुत्रावपि धनभाजां भीतिः
सर्वत्रैषा विहिता नीतिः ધનને હંમેશાં અનર્થનું કારણ માનો, તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. ધનવાન પોતાના પુત્રથી ડરે છે. આ નીતિ સર્વત્ર જોવા મળે છે. (ધનવાનને પુત્રનો ડર એટલા માટે લાગે છે ધન શીધ્ર પ્રાપ્ત કરવા તે પિતાની હત્યા ન કરે !)
દર ડર, ગુહ ર, નામ ડર, डर करणी में सार तुलसी डर्या सो ऊबर्या
गाफिल खाई मार ઈશ્વરનો, ગુરુનો અને ગામનો ડર આપણને સન્માર્ગ પર લાવે છે. ખરાબ કૃત્યોથી રોકે છે. સંયમ શીખવે છે. કર્તવ્યપાલનની પ્રેરણા આપે છે. એ અપેક્ષાએ આવો ડર ઉપાદેય છે.
For Private And Personal Use Only