________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જીવનને અરુણોદય કરવાથી કાર્યમાં સફળતા મળે છે. વિશ્વ એ પરિણામની શાળા છે.
સારું અને ખોટું અને તારવી નાખવાનું છે.
માટી કારણ અને ઘડો કાર્ય છે. કારણ વગર કાર્ય થતું નથી. કારણ હોય તે કાર્ય આવે.
મતિજ્ઞાનના જોરથી શ્રતજ્ઞાન આવે છે. જે મતિજ્ઞાનમાં ખામી હોય તે શ્રતજ્ઞાનમાં ખામી જ રહે છે.
આત્મા માટે ભેમિયાનું કામ કરનાર અને આત્માને તારનાર જે ગુરુજ્ઞાન છે તે અલૌકિક છે.
ઝેર પણ દવા બની જાય અને અમૃત પણ ઝેર બની જાય છે. આનું કારણ અજ્ઞાન છે. દવા ઝેરી હેવા છતાં મર્યાદા પ્રમાણે લેવાથી રોગ મટાડે છે.
સરૂપી આત્માની વાતોને સમજાવતાં ભૌતિક વાતે નિસરણીનું કામ કરે છે.
ભેગોમાં પડેલાને ઉઠાડનાર જ્ઞાની પુરુષ જ છે. અને જ્ઞાનીનાં વચને જ આત્માનો ઉદ્ધાર કરે છે.
ટકાએ આગળ વધારનાર સૈનિક છે. ટીકાથી ભૂલે. સમજાય છે. અને તે ભૂલને સુધારવાની છે. મોટાઓ પાસેથી પ્રશંસાની નહિ, પણ તેઓ ભૂલો બતાવે તેવી આશા રાખવાની છે.
શ્રદ્ધાની શક્તિ શું કામ કરે છે તે આજે જોવાનું છે. ગણધરે ભગવાન પાસે પહેલી વાર આવે છે ત્યારે
For Private And Personal Use Only