________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય જગતમાં ઉપયોગી બને છે. પરીપક્વ કેરી મધુર હોય અને લેકેને ઉપયોગી હોય છે તેવા ઉપયોગી આપણે બનવાનું છે.
ધર્મ જ રહ્યો છે. આપણી શ્રદ્ધાની શક્તિ વિશિષ્ટ છે. જે શ્રદ્ધાની શક્તિ ક્ષીણ થાય તે જીવન ખલાસ થાય છે.
જ્ઞાન નકામું નથી પણ શ્રદ્ધાથી જ્ઞાન મળી જાય તે તે આત્માને ઉદ્ધાર કરે છે.
મહાપુરુષની વાણીમાં સર્વ કામ, ધર્મ અને મોક્ષ હોય છે. પણ આ ચારે વાતે વ્યવસ્થિત હોય છે અને છેવટે આપણી દિશાને મોક્ષ જ છે. જે નિસરણમાં પગથિયાં ન હોય તે આપણે ઉપર ચડી શકતા નથી.
અમુક મર્યાદા સુધી જ અર્થને રાખવાનું છે. અર્થને જીવનનું સાધ્ય બનાવ્યું તે આપણે ડૂબી જઈએ છીએ. આજે તે જીવનનાં દરેક ક્ષેત્રોમાં અર્થ પેસી ગયા છે. અને જીવનનું ધ્યેય બની ગયું છે.
પાંચ ઇન્દ્રિયોને મર્યાદિત રાખવાની છે. મર્યાદાથી સમાજ વ્યવસ્થિત ચાલે છે. જીવનમાં વાસનાને તિલાંજલિ આપવાની છે. પત્ની તરફ ઉચ્ચ ભાવના રાખવાની છે.
જીવનમાંથી પશુવૃત્તિને દૂર કરવાની છે. બ્રહ્મચર્ય-મર્યાદા જીવનમાં જરૂરી છે.
કામ જ્યારે શુદ્ધ બને છે ત્યારે પ્રેમ થાય છે અને પછી વિશ્વ પ્રત્યે પ્રેમ થાય છે અને આપણું જીવન ધીમે ધીમે ઊંચે આવે છે.
For Private And Personal Use Only