________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવી રીતે મનમાં કચરો ભરે તેવાં પાંચ તત્ત્વ છે. તે તને દૂર કરવામાં આવે તે જીવનને વિકાસ ત્વરિત જ શ્રેયસાધક નીવડે છે.
૦ માણસમાં અહંકાર આવે છે ત્યારે આત્માની કમળતા ચાલી જાય છે. નમ્રતા દૂર થતાં જ વિનય–વિવેક અદશ્ય બને છે. અહંકાર સાથે ધન હોય તે જીવન સળગતી ચિતા બને છે. પિતા-પુત્રને જુદા પાડનાર ધન. છે. જગતના ઝઘડાઓમાં વિપુલ ભાગ ભજવનાર ધન છે.
૦ પૈસા જરૂરિયાત પૂરી પાડવા માટે છે. પણ આજે જરૂર કરતાં વિશેષ ભેગું કરવાની વૃત્તિ જન્મી છે. સુખ માટે અધિક સાધને ભેગાં કરવામાં આવે છે.
જીવનવિકાસમાં સાનુકુળતાને બદલે પ્રતિક્ષણે અવનની પ્રતિકુળતા ઊભી થાય છે.
પ્રતિકુળતામાંથી અસંતેષ, અસંતેષમાંથી અહંકારની મહાજવાળા અને એ મહાજવાળા જીવનવિકાસની સર્વ સાધનાને ક્ષણ માત્રમાં ભસ્મસાત કરે છે. અહંકારથી. અશાતિ જન્મે છે. અશાતિથી અમૃતમય દિવ્ય જીવન વિષમય બની જાય છે.
For Private And Personal Use Only