________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ જીવનને ઉચ બનાવવા માટે, અભિરુચિને ઉત્કૃષ્ટ બનાવવા માટે સારી ટેવ પાડવાનો પ્રારંભ કરે. ધીમાં છતાં મક્કમ ડગલાં ભરી સફળતા મેળવે. સારી ટેવ ધીમે -ધીમે પાડવાથી તેમાં સાતત્ય વધશે ને દયેયપ્રાપ્તિ થશે.
૦ ત્યાગમાં વીતરાગ છે. ટેવ પાડતાં શ્રમ જણાશે. પણ તે શ્રમ ક્ષેમકર બનશે. શ્રમથી ખેરાક પચી જાય છે. આજે શ્રમ નથી ત્યાં પેટના રેગે વધી ગયા છે.
૦ સારી ટેવ પાડવા માટે શ્રુતજ્ઞાન સાંભળવાની ટેવ પાડવાની છે. સાંભળવાનું ન મળે તો શ્રુતજ્ઞાન–વાંચન કરવાનું છે. “જીવવિચાર” “નવ તત્વ “ત્રિભાષ્ય” કર્મગ્રંથ વગેરેનું વાંચન કરવાથી ધીમેધીમે તે ભણવાનું મન થાય છે. ભણતાં ભણતાં આગળ વધી શકીએ છીએ ને આત્માને ઉદ્ધાર કરી શકીએ છીએ. શાસ્ત્ર અભ્યાસનું વ્યસન રાખવાનું છે અને તે વ્યસન સ્વ તથા પ૨ માટે અતિ ઉપયેગી થઈ પડશે.
૦ આયુષ્ય ટૂંકું અને ક્ષણભંગુર છે, માટે ક્ષણને પણ વિલંબ કરવાનું નથી. આત્માનું જેટલું સધાય તેટલું સાધી લે. આત્મા હંમેશાં ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનમાં રહેવું જોઈએ. ધર્મનું વાચન ને શ્રવણ દુર્ગુણેને સહેલાઈથી દૂર કરી શકે છે.
0 જીવનમાં મળેલ સાધનોને સારે ઉપયોગ કરે. મળેલ શક્તિને વિકાસ કરો. નિશ્ચય અને વ્યવહાર બને જીવનમાં જોઈએ; માટે ભાવિનું ભાગ્ય ભવ્ય બનાવવું હોય તે વર્તમાનની જીવનક્રિયાને ભવ્ય બનાવે.
For Private And Personal Use Only