________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
તપશ્ચર્યાથી હોજરીને આરામ મળે છે. ઉપવાસ કરનારા વધુ જીવે છે.
જૈન ધર્મમાં ફક્ત “થિયરી જ નથી, ત્યાં સંપૂર્ણ પ્રેકિટસ છે, આચરણ છે. દરેક ક્રિયા પાછળ સંપૂર્ણ સિદ્ધ જ્ઞાન રહેલું છે. કહ્યું છે કે જ્ઞાનક્રિયાભ્યાં મશઃ. જ્ઞાનપૂર્વકની કિયાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક કિયાનું સાધ્ય અહિંસા છે. દરેક ધર્મવાળા અહિંસાને ધર્મ માને છે. અહિંસા પરમો ધર્મ. અહિંસા એ પરમ ધર્મ છે. એ જ પરમ સાધ્ય છે. એ જ પરમ સુખ તેમજ પરમ સંપત્તિ છે. ધર્મના મૂળમાં અહિંસા જોઈએ. દયા ધર્મનું મૂળ છે. આત્માની અહિંસક વૃત્તિ તે દયાનું ફળ છે. અહિંસા ધર્મને મંત્ર છે : “જી ને જીવાડે.” જીવે ને જીવવા દે ”માં સ્વાર્થ છે. “જી ને જીવાડે'માં સ્વાર્થ સાથે પરમાર્થ મુખ્ય છે.
શ્રી પર્યુષણા મહાપર્વ એ ક્ષમાનું પર્વ છે. તેથી એ માટે આરંભ-સમારંભ ઓછા કરી પાંચ કર્તવ્ય ખાસ કરવા માટે આજ્ઞા છેઃ ૧. અમારિ પ્રવર્તન (અહિંસા), ૨. સાધર્મિક વાત્સલ્ય, ૩. પરસ્પર ક્ષમાપન, ૪. અડ્રમનું ત૫ (ત્રણ ઉપવાસ), ૫. ચિત્યપરિપાટી (મંદિર-મૂર્તિનાં. દર્શન).
For Private And Personal Use Only