________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષ માટે ધર્મપાલન
૦ જ્ઞાની સાથે ક્રિયાની ખૂબ જ જરૂર છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે છે. જ્ઞાનની તૃપ્તી ક્રિયાના આહારથી થાય છે પ્રભુની વાણી વરસતી હોય ત્યારે સાધકે જ્ઞાનનું ટાંકુ ભરી લેવાનું છે.
૦ જ્ઞાનીઓ કહે છે કે આત્માનાં સદ્ગુણ કે દુર્ગુણ જાણવા હોય તે પ્રભુનાં વચનને સમજવાં પડશે. જાણવા પડશે, પાંચ-દશ વર્ષ ધર્મ પાછળ ખર્ચવાં પડશે. ડિગ્રીઓ. મેળવવા પાછળ ૨૦-૨૫ વર્ષ ગાળી નાખીએ છીએ, અને ભવ ગાળી નાખવા છતાં આતમ દર્શન લાધતું નથી તેમાં દેષ કોને?
પારને સેમલ પકવાથી તે ઔષધ બની જાય. છે પરંતુ જે તે કાચે રહી જાય તે ખાવાથી માણસ મરી જાય છે જે આપણા અંતરમાં ધર્મ ઉતરી જશે તે આપણે રૂટ પુષ્ટ બની જઈશું સુખીને શાંત બનીશું.
૦ જ્ઞાનથી જે વૈરાગ્ય ન આવે તે તે જ્ઞાન નકામું છે. જ્ઞાન દશા આવતા કામ, ક્રોધ, લોભ, માન અને માયા ઓછા થતા જાય છે. અને ક્રમે ક્રમે વૈરાગ્ય પ્રગટ થતું જાય. રાગ-દ્વેષ પણ દૂર થતા જાય છે.
For Private And Personal Use Only