SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેલા ભાઈ પરદેશથી પાછા આવ્યા. તેમણે એકનાથ પાસે પારસમણિની માગણી કરી. તે તેમણે કહ્યું : “જ્યાં પ્રભુચરણે મૂકયે છે ત્યાંથી લઈ લે.” પેલે તે ચરણ પાસે પારસમણિ શોધવા લાગે. પણ તે ન મળ્યો. તેને થયું, આણે કયાંક સંતાડ્યો છે ને ઉપરથી ઢોંગ કરે છે. તે તે ધુંવા કુંવા થતો આવ્યો એકનાથ પાસે અને કહ્યું : એક તે પારસમણિ સંતાડ્યો છે ને ઉપરથી ઢાંગ કરો છો? ચાલે, બતાવે. કયાં છે તે? એકનાથ તેની સાથે મૂર્તિ પાસે આવ્યા અને ત્યાં પારસમણિ ન મળ્યું. તેમણે પરમાત્માને પ્રાર્થના કરી. ત્યાં આપોઆપ સ્કૂરણ થઈ : ફૂલ સાથે તે નદીમાં. ગયે છે. એકનાથ ને પેલા શેઠ નદીએ આવ્યા. એકનાથે નદીમૈયાને પ્રાર્થના કરી : હે ગંગામૈયા જે હું પવિત્ર હોઉં, મારું જીવન નિષ્કપટ હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, પરમાત્માનો અંશ મારામાં હાય, મારામાં નિર્મલતા હોય તે આ શેઠને પારસમણિ. આપી દે. વળી તું તે રત્નાકરની રાણી છે. તારી પાસે તે રત્નના ભંડાર છે. તો આ નાનો છે પારસમણિ, આપવા કૃપા કર. આવી પ્રાર્થના કરીને નદીના પાણીમાં હાથ નાખ્યા. For Private And Personal Use Only
SR No.008719
Book TitleJivan No Arunoday Part 3
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy