________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગદર્શનની મહત્તા
તત્વાર્થ અધિગમ સૂત્ર તે જૈન તત્ત્વજ્ઞાનનું cream છે, essence છે. પરમાત્માની પ્રાપ્તિ માટે દર્શનવિશુદ્ધિ આવશ્યક છે. સમ્યગદશનની વિશુદ્ધિથી વિભુ (આત્મા) વિમળ બને છે.
બીજાની આવશ્યકતા છે કે વિનયસંપન્નતા. વિનય વિના ધર્મનો પ્રવેશ નથી. વિનયથી વિદ્યા વૃદ્ધિ પામે છે.
જ્યાં વિનય છે, ત્યાં વિજય છે. જ્યાં લઘુતા છે, ત્યાં પ્રભુતા છે.
જ્યાં અભિમાન હશે, ત્યાં ધર્મને પ્રવેશ નહિ હોય. જયાં અભિમાન, ત્યાં અધઃપતન. અને અભિમાન રહેશે જ્યાં સુધી? લાકડામાં ખલાસ ! જ્યાં મૃત્યુ આવ્યું ત્યાં કોઈ ટકનાર નથી–કાંઈ ટકનાર નથી. રાય ને રંક મૃત્યુના કેળિયા બની જનાર છે.
બન્યું એવું કે એક ભાઈ એક જણ પાસેથી ૧૦૦ રૂ. ઉધાર લાવ્યા. મફતને મળ્યા, પી દેવાનું નામ નહીં ! લેણદાર લેવા આવ્યા તે જવાબ આપે, કયાંથી આપું ? મારી પાસે નથી.
For Private And Personal Use Only