________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
સદાચાર
X “ઈકકેવિ નમુકકારે” ભગવંતને એક પણ નમસ્કાર જે ભાવપૂર્વક કરે તે પાપી પણ પરમાત્મા બની જાય છે. દરરોજ નમસ્કાર કરવાથી લોકોના અનાદિ કુસંસ્કાર પણ નાશ પામે છે.
* કૂવામાં જ્યારે ડેલ નમાવવામાં આવે છે, ત્યારે. પાણી ભરાય છે. મને પણ એક ડેલ છે. જ્યારે વ્યક્તિ નમસ્કાર કરે છે ત્યારે એવું મન શુદ્ધ થઈ જાય છે, આત્મા સદ્ગુણથી ભરાઈ જાય છે અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
* આપણે સદાચારી, પરોપકારી, કરુણાશીલ, ચારિત્રવાન બનીએ ત્યારે જીવનમાં આત્માનો અપૂર્વ આનંદ આવે છે, આત્માના પરમ આનંદનો સ્વાનુભવ થાય છે.
* સદાચારી વ્યક્તિ પોતાની જાત પર તેમ જ બીજા માટે ઉપકારી બને છે જ્યારે દુરાચારી વ્યક્તિ બીજા માટે જ નહીં, પિતાને માટે પણ ખતરનાક નીવડે છે.
* જો તમે સારા છે, પવિત્ર છે તે તમારે બીજાને. અભિપ્રાય લેવાની કોઈ જરૂરી નથી. તમારા જીવનની સુવાસ જ સામા માણસ ઉપર અસર કરશે. જેમ કે સુગંધદાર પુછપ ભમરાને કદી પણ બોલાવતાં નથી.
* શું તમારું કોઈ નથી ? બધાય તમારી વિરુદ્ધ છે ? તમારી નિંદા કરે છે? તમે જેના પર ઉપકાર કર્યો
For Private And Personal Use Only