________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેય
પ્રેમ
* પ્રેમનો પહેલે સ્પર્શ અમૃતને હોય છે પણ છેલ્લે ડંખ વિષધર જેવો હોય છે, જેનામાં એ ડંખ જીરવવાની શક્તિ નથી હોતી એ પ્રેમ નથી મેળવતો પણ પશુતા મેળવે છે.
* પ્રેમની ભાષા અગ્નિને પણ શાંત કરી દે છે અને પથ્થર જેવા માનવના હૈયાને પણ પીગળાવી દે છે; માટે પ્રેમની ભાષા શીખે. પ્રેમના પ્રહારોથી તલવારો પણ તૂટી જાય છે. તૂટેલાં હૃદય જોડાઈ જાય છે.
* જેના પ્રત્યે આપણને પ્રેમ છે તેની સેવા કરવામાં જરા પણ કંટાળે આવતો નથી, તેના ઉપર ઉપકારની લાગણી પણ થતી નથી, તેને બદલે લેવાની ઈચછા થતી નથી અને સ્વાર્થ પણ પષાતો નથી. ગમે તેટલી સેવા હોય તે પણ પ્રેમથી જ થાય છે.
* સર્વ જીવો કર્માવશ છે. અપરાધી પણ કર્મવશ છે. તમારામાં બુદ્ધિ અને શક્તિ હોય તે અપરાધીને પ્રેમ– ભાવથી સમજાવીને યોગ્ય માર્ગે લાવો, પણ જો તેમ કરતાં અપરાધી ન સુધરે તે પણ તેના પ્રત્યે તિરસ્કાર ન કરશે.
પરમાત્મા * વિષયમાંથી મનને મુક્ત કરીને પરમાત્મામાં વાળવાનું છે. આપણે પ્રવાસી છીએ માટે અહીંના પ્રવાસમાં જેટલું ભેગું થાય તેટલું ભાથું ભેગું કરી લેવાનું છે.
For Private And Personal Use Only