________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
* આપણું સ્થિતિ પેલા “ઢ” અક્ષર જેવી છે. “ઢ” અક્ષર પાંચ હજાર વરસથી એ ને એ જ છે. આપણે પણ વરસોથી પ્રવચન સાંભળીએ ને “ઢ” જેવા ન રહી જઈએ. તે માટે જીવનમાં પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂર છે.
બ્રહ્મચર્ય * જેમ લુણ વિના ભોજનની મજા નથી આવતી તેમ જળ વિનાના સરોવરનું કેઈ મહત્ત્વ નથી. જેવી રીતે સુગંધ વિનાનાં ફૂલેની કોઈ કિંમત નથી તેમ બ્રહ્મચર્યવિહોણુ પુરુષની કોઈ કિંમત નથી.
* વાસનાઓના ત્યાગથી જીવનમાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થાય છે, સંતોષ થાય છે. આત્મામાં અપૂર્વ વિલાસ જાગે છે અને બ્રહ્મચર્યનું રક્ષણ થવાથી કોઈ દિવસ અકાળે મૃત્યુ થતું નથી, સદા નીરોગી અવસ્થા રહે છે. હંમેશાં યુવાવસ્થા પ્રાપ્ત થાય છે.
* બ્રહ્મચર્યની ભાવના રાખવાવાળે જો સ્ત્રીસંગમાં રહે તે બ્રહ્મચર્ય પાળી શકે નહીં. તેના માટે પ્રથમ તેણે વિકારોને મનમાંથી દૂર કરવા જોઈએ તેમ જ વિકારી વસ્તુઓ અને સ્ત્રીસંગથી દૂર રહેવું જોઈએ; તે જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે.
For Private And Personal Use Only