________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાની
* જ્ઞાની સંસારના વિષયભોગને ત્યાગ કરીને સંસારનો ક્ષય કરે છે. અજ્ઞાની સંસારના વિષય–ભોગોમાં સંસારની વૃદ્ધિ થાય છે.
* વર્તમાન જીવનમાં ફેમિલી ડેકટર અને ફેમિલી વકીલનું કેટલું બધું મહત્ત્વ છે ! મારી સલાહ છે કે વતમાન જીવન શાંતિથી જીવવા, પરલોક સુધારવા એક ફેમિલી સાધુ જરૂર રાખજે. તે ફી નહીં લે અને પરોપકાર કરશે.
* ડેાકટર પાસે દરદી જાય, એ ભૂલ કરે તે પણ ડેકટરની ફરજ છે કે દરદીને બચાવે. તેને મરવા ન દે, તેવી જ રીતે સાધુ પણ ડોકટર જેવો જ છે. સંસારી આત્મા ભૂલે કરે તે પણ તેને ઉપદેશ આપવો અને તેના જીવનને બચાવી લેવું.
કે જેને સંસારના વૈભવને પાર નથી. જેને ત્યાં અનેક પ્રકારનાં સુખ છે, ગાડી છે, વાડી છે, દુકાને છે, ઘણાં સગાં-વહાલાં છે. લાખો રૂપિયાની સંપત્તિ છે; તે સર્વને ત્યાગ કરીને બાવા, ફકીર કે સંત બને તે જગત ઉપર મહાન ઉપકાર કરી શકે છે.
કે સાધુ જગતથી નિરપેક્ષ છે. જાતને જોઈને ચાલે તે સાધુ નહીં.
For Private And Personal Use Only