________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરરૂપે તેમ જ સુગમ અને સેચક પ્રવચન અને લેખનરૂપે, આપણા શ્રમણસંધે અત્યાર સુધી સારી રીતે સાચવી રાખી છે. કઠણ વિષયને સહેલા અને આકર્ષક રૂપમાં રજૂ કરવાની આ કળા જેમ જે તે વિષયના હૃદયંગમ બોધની સાક્ષી પૂરેછે, તેમ સામાન્ય જનસમુદાયની સમજશક્તિને માપવાની શક્તિનું પણ સૂચન કરે છે.
પૂજય ગણિજી મહારાજ મુનિરાજ શ્રી પદ્મસાગરજી મહારાજ આવી જ સરળ અને મધુર વાણી તથા શૈલીના સાધક છે; બીજાને પ્રયત્ન કરવા છતાં પણ વાણીની જે સિદ્ધિ ન મળે, તે તેઓને સહજપણે મળી હોય એવી છાપ એમનું ધર્મપ્રવચન સાંભળતાં તેમ જ એમની સાથે વાત કરતાં પણ મન પર પડે છે. સાથે સાથે એમાં સંસ્કારિતા, ચિંતનશીલતા અને અધ્યયનપરાયણતાની સુભગ ભાત પડેલી પણ જોવા મળે છે. આ જોઈને કંઈક એમ પણ લાગે છે કે કોઈ પૂર્વની આરાધનાનું જ આ પરિણામ હોવું જોઈએ. પ્રવચન, તેઓ કોઈ ગંભીર મુદ્દો સમજાવતા હોય કે રોજિંદા જીવનને સ્પર્શતા હળવા કે સામાન્ય મુદ્દાની ચર્ચા કરતા હોય; આપણને એમ જ લાગે છે કે તેઓ બોલતા જ રહે અને આપણે એમની વાણીનું રસપાન કરતા જ રહીએ. આવી ધર્મપૂત અને મધુરવાણીનું વરદાન વિરલાઓને જ મળે છે. ન કયાંય કડવાશ, ન તીખાશ, ન આક્ષેપ કે ન ક્લેશ-દ્વેષનો અણસાર; જાણે કેવળ વાણીની મધુરતા જ વહી રહી છે.
“ચિંતનની કેડી” નામે આ નાના સરખા પુસ્તકમાં, પૂજય પદ્મસાગરજી મહારાજની મુધુર વાણીની મધુર પ્રસાદી મળ્યાનો આહ્લાદ જિજ્ઞાસુઓ અનુભવશે. આમાં ચિંતનમાં
For Private And Personal Use Only