________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી છે કે નફામાં, તેમાં હડતાલ પણ પડે છે કે એ સતત ચાલુ રહે છે તે આજ કોણ જુવે છે?
આ દેહરૂપી કારખાનામાં ત્રણ વિભાગ છે : કમેં ન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ. આ ત્રણેય વિભાગો પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. - પાંચેચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચેય કર્મેન્દ્રિો આધ્યામિક માલનું બરાબર ઉત્પાદન કરે છે કે નહિ તેની કાળજી રાખવી જરૂરી છે. અંતઃકરણમાંથી કારખાનાની દેખભાળ બરાબર થાય કે નહિ, કે પછી ત્યાં વિષય અને કષાય લાંચ આપીને બનાવટી માલ તે ઉત્પાદન કરાવી નથી જતાં ને તેની ચાંપતી નજર રાખવાની જરૂર છે. - આ સાથે યાદ રહે કે દેહરૂપી કારખાનું એક દિવસ ઓચિંતુ જ બંધ પડી જવાનું છે. એ બંધ પડે તે પહેલાં આંખથી ભગવાનને જોઈ લે, કાનથી ભાગવાનની વાણી સાંભળી લો, હાથ-પગથી ભગવાનની ભક્તિ કરી લે, આત્માની આરાધના અને સાધના સાધી લે. એ જ સાચું અને નફાવાળું ઉત્પાદન છે.
For Private And Personal Use Only