________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ જ આગ ને
આત્મા
તણખે હેચ કે ત, ન્યાત હોય કે જવાળા, વાળા હોય કે ચૂલો, ચૂલો હોય કે ચિતા, ચિતા હોય કે દવ. આ બધાયમાં આગનું તત્ત્વ સમાન છે. અગ્નિના આ વિવિધ સ્વરૂપમાં પ્રકાશનું તત્ત્વ એક છે.
કીડી હોય કે કુંજર, સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, સબળ હોય કે નિબળ-– કદ અને આકાર ગમે તેવા હોય, દરેકમાં આત્મ તત્વ સમાન છે. આત્માનું વિશુદ્ધ અને તેજોમય તત્ત્વ દરેકમાં સમાન છે.
અવ્યક્ત અને અદષ્ટ આ આત્મતત્ત્વને સાધક ઓળખી લે અને તેને સમુચિત ઉપયોગ કરી લે તે એ જ આત્મા પરમાત્મા બની રહે છે. જીવ શિવ બની જાય છે. સ્વ સિદ્ધ બને છે.
તણખ આગ પણ લગાડે છે. એ જ તણુએ જ્યોત બને તે અંધકારને દૂર કરે છે. ચૂલામાં તે સળગે છે તે તે રસેઈ બનાવે છે. ચિતામાં ભડભડ બળે છે તે દેહને ખાણ કરે છે અને મકાન કે જંગલમાં લાગે તે ભીષણ હોનારત સર્જે છે.
૧૧૦
For Private And Personal Use Only