________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દે છે. મને સમજાતું નથી કે આટલી ઝડપથી આવા ગહન તત્ત્વજ્ઞાન પુસ્તક તું કઇ રીતે વાંચતો હોઇશ?કે પછી ઉપર ઉપરથી જોઇને કે વાંચ્યા વિના જ પુસ્તકો પાછાં આપે છે ?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત કાશીરામે ઉત્તર આપ્યો, “મહારાજ, હું અન્ય કોઇ પણ બાબતમાં એક મિનિટનો સમય બગાડયા વિના માત્ર વાંચન જ કરતો હોઉં છું. આપની પાસેથી જેટલાં પુસ્તકો લઇ ગયો તે બધાં મેં બરાબર વાંચ્યાં છે. આપ એમાંથી મને કંઇ પણ પૂછી શકો છો. એ જ પુસ્તક વાંચ્યાની ખાતરી ગણાય.” મુનિશ્રીએ કાશીરામને એણે વાંચેલા પુસ્તકમાંથી એક પ્રશ્ન પૂછયો. કાશીરામે અત્યંત સરળ ભાષામાં એનો ઉત્તર આપ્યો. મુનિની આખ આનંદથી છલકાઇ Gól!
માતા-પિતાએ કાશીરામનાં લગ્ન ગોઠવ્યાં. પંજાબના ભટીંડા જિલ્લાના રામપુરાફુલ ગામના શ્રી કાકુરામજીની પુત્રી શાંતાદેવી સાથે કાશીરામનાં લગ્ન થયાં. વિદ્યાવતીજી એમનો રિશ્તો લઇને આવ્યાં હતાં. માતાપિતાએ ભારે ધામધૂમથી લગ્ન કરાવ્યાં. કાશીરામના જીવનમાં એક નવી જ પરિસ્થિતિ ઊભી થઇ. એક બાજુ વૈરાગ્યની તીવ્ર ઝંખના અને બીજી બાજુ થર-ગૃહસ્થી સંભાળવાની જવાબદારી. હવે કરવું શું?
યુવાન કાશીરામના જીવનમાં શાંતાદેવીનો પ્રવેશ થયો અને સંસારસાગર પર એમની નૌકા ગતિ કરવા લાગી.
૪૪
For Private And Personal Use Only