________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડોસીને તો પેટની જ તકલીફ હતી. આથી મફતલાલભાઇએ ત્રિફળાના ચૂર્ણની ત્રણ પડીકીઓ બનાવીને ખાપી દીધી. અને કહયું કે; “ગરમ પાણીની સાથે એક એક પડીકી સવારે ઉઠતાં જ નમણાં ફોઠે રોજ લઇ લેવી. પછી પાંચ કલાક સુધી કાંઇ પણ ખાવું નહિ. આમ કરશો તો પેટનું દર્દ જરૂર મટી જશે.” ડોસીએ બરાબર તે જ પ્રમાણે કર્યું. અને પેટનું દર્દ ખરેખર ગાયબ થઇ ગયું. મફતલાલનો પુણ્યોદય જાગી ગયો હતો. એમને હવે વગર પૈસાની પ્રચારક મળી ગઇ. આ ડોસી જયાં જતી ત્યાં આ જ વાતનો પ્રચાર કરતી કે મારા પેટનું દર્દ માત્ર ત્રણ જ પડીકીના પ્રભાવે કેવી અજબ રીતે છુમન્તર થઇ ગયું...! મફતલાલભાઇ બહુ કુશળ વૈદ્ય છે... વગેરે.”
એક વાર એક કુમ્ભારનું ગધેડું ખોવાઇ ગયું. એ પણ મફતલાલની પાસે જઇ પહોંચ્યો. અને બોલ્યો: “જો આપની પાસે એવી કોઇ દવા હોય તો તે આપો કે જેનાથી મારો ખોવાયેલો ગધેડો પાછો મળી જાય.”
મફતલાલે એને પણ ત્રણ પડીકી આપી દીધી. અને કહયું કે, “ગરમ પાણીની સાથે લઇ લેજો.” પહેલી જ પડીકી લેતા એને સંડાસ જવાની શંકા થઇ. એ તો લોટો લઇને વસ્તીથી દૂર ગામનાપાદરે ગયો. જયાં તે શૌચ માટે બેઠો,ત્યાં જ થોડે દૂર બેઠેલો એનો ગધેડો એને મળી ગયો.ખુશ થઇને એ એને ઘરે લઇ આવ્યો. ગધેડો કાંઇ વિલાયત નહોતો ગયો!!!
પેલી બાજુ ગંગા અને આ બાજુ કુંભાર – હવે બે પ્રચારક મળી ગયા. બે-ચાર દિવસમાં તો આખું શહેર જાણી ગયું કે વૈદ્ય મફતલાલની દવા બહુ અસરકારક છે.
વાત ફેલાતી ફેલાતી રાજમહેલ સુધી પહોંચી. ત્યાં એક રાણી જોડે રાજા પ્રેમ કરતો ન હતો. રાણીએ દાસી દ્વારા વૈદ્યરાજને રાજમહેલમાં બોલાવ્યા. અને એમની સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી.
વૈધ મફતલાલ તો કેવળ એક જ ઇલાજ જાણતા હતા. રાણીને પણ એણે ત્રિફલા ચૂર્ણની ત્રણ પડીકી આપી દીધી. અને કહી દીધું કે, “આના પ્રભાવથી રાજા આપને વશ થઇ જશે. આપની સાથે પહેલાની જેમ પ્રેમ રાખતા થઇ જશે.”
વૈઘ ચાલ્યા ગયા. રાણીએ પડીકીઓ લેવા માંડી. ખૂબ ઝાડા થવાથી રાણી કમજોર પડી ગઇ અને તેણી ખાટલાવશ બની. મન્ત્રીઓએ રાજાને સલાહ આપી કે આપની રાણી મૃત્યુ. શય્યા પર પડી છે; આથી આપે એને મળવા જવું જોઇએ. મોતના બિછાને પડેલા દુશ્મનને પણ લોકો માફ કરી દે છે.
૫૦
For Private And Personal Use Only