________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“વેદનાની જેમ આત્મા પણ અનુભવની ચીજ છે. એને પ્રત્યક્ષ બતાવી શકાય નહિ.” સ્વામીજીએ કહયું.
—
પાણી જામીને બરફ થઇ જાય તો એમાં પ્રતિબિમ્બ જોઇ શકાતું નથી. ફાનસની ચીમની ઘૂમાડાને લીધે કાળી પડી જાય તો પ્રકાશ બહાર આવી શકતો નથી. એ જ રીતે જયાં સુધી મન વિષય-કષાયથી મલિન રહે છે ત્યાં સુધી આત્માના પ્રકાશનો આનન્દનો અનુભવ કરી શકતો નથી. મન નિર્મળ બને છે. આરાધના અને સાધના દ્વારા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વકીલની જેમ ઇન્દ્રભૂતિને પણ આત્માનું જ્ઞાન નહોતું. પ્રભુની કૃપાથી એમને એ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું.
ટ્રેઇનને જુઓ... એ કેટલી લાંબી-પહોળી અને શક્તિશાળી હોય છે!! પણ જો ડ્રાઇવર અસાવધ હોય અને આગળ પૂલ તૂટેલો હોય તો ટ્રેન પોતાને બચાવી શકે છે? ના... ભયંકર દુર્ઘટના સર્જાઇ જશે.
આનાથી ઉલટું: નાનકડી કીડી આવનારા ખતરાથી પોતાનું રક્ષણ કરી શકે છે. એ તૂટેલા પૂલ પરથી નીચે ખાબકતી નથી. કીડીમાં જે એ એના ચૈતન્યની શક્તિ છે.
બીજું ઉદાહરણ કૂતરાનું લઇ શકાય. જો તમે તમારા હાથે એને રોટલી આપશો તો એ નિર્ભય બનીને ખાશે... પ્રેમથી પૂંછડી હલાવશે. અને સંતોષ પ્રગટ કરતી અનેક ચેષ્ટાઓ કરશે.
પરંતુ તમે એને આખો દિવસ ભૂખ્યો રાખો. પછી રસોડામાં રોટલીનો ડબ્બો ખુલ્લો રાખીને દૂર ચાલ્યા જાવ અને પછી જુઓ... છુપાઇને કૂતરાની ગતિવિધિનું નિરીક્ષણ કરો તો તમે જોશો કે ભૂખ સહનનહિ કરી શકવાથી કૂતરો આમ-તેમ જોતો બે પગ વચ્ચે પૂંછડી દબાવી છાનો માનો આવશે અને મોમાં રોટલી ઊંચકીને તત્કાળ ત્યાંથી ભાગી છૂટશે. ત્યાં ઊભા ઊભા ખાવાની હિંમત તે નહિ કરે.
ભસી ભસીને બીજા પર આક્રમણ ફરનારા બહાદૂર કૂતરામાં આ કમજોરી કયાંથી આવી? પશુયોનિમાં હોવા છતાં એ એટલું તો સમજે જ છે કે હું ખોટું કામ કરી રહયો છું. જો મારી ચોરી પકડાઇ જશે તો બરાબર માર પડશે. કૂતરાની આ સમજ એનામાં રહેલા આત્માના અસ્તિત્વની સાબિતી છે. જયારે પાંદડા હાલે છે ત્યારે ખબર પડે છે કે પવન વાય છે. પવન પ્રત્યક્ષ દેખાતો નથી. પણ એનું અસ્તિત્વ કોણ નકારી શકે? કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે.
૨૯
For Private And Personal Use Only